SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૨ તે સમજી જાય છે ને પેાતાની શકિત અનુસાર ત્યાગ કરે છે. વિશેષ માટે પ્રયત્નશીલ બને છે. શારદા શિખર ત્યાગ કરવા કરે પ્રાણ આવતાં મળેલા સહકાર : ઉનાળાનાં દિવસેા હતાં. રાજા ગાઢ જંગલમાં આવી પહેાંચ્યા છે. જ્યાં કોઈ માણસ પણ દેખાતું નથી. ગરમીના કારણે રાજાને ખૂબ તરસ લાગી હતી. મધ્યાન્હના સમય થયેા હતેા એટલે ભૂખ પણ કડીને લાગી હતી. થાક પણ ખૂબ લાગ્યા હતા. ભૂખ તરસ અને થાકના કારણે ચક્કર આવવાથી રાજા બેભાન થઈને પડી ગયા. જુએ, રાજાને ઘેાડા કેટલેા વહાલે હતા? પાતાની વહાલી વસ્તુ પણ કેવી દુઃખદાયક બને છે! રાજા બેભાન થઈને મડદાની માફક પડયાં છે. આ સમયે એક ભીલની છેકરી ખકરા ચરાવવા માટે ત્યાં આવી. તેણે રાજાને બેભાન અવસ્થામાં પડેલા જોયા. રાજાને જોઈને તેના મનમાં થયું કે આ કોઈ મોટા ને સજ્જન માણસ લાગે છે. ભૂલથી આ ગાઢ જં ગલમાં આવી ચઢયાં લાગે છે. અને તેમની આ દશા થઈ છે. મારાથી બચે તે એને ખચાવું. દુ:ખના વખતે સહાય કરવી તે માનવ માત્રની ફરજ છે. આવા જંગલમાં આપણે ગરીબ માણસ ખીજું તે શું કરી શકીએ ? પણ સજ્જન પુરૂષની સેવા કરુ. એમ વિચાર કરીને ભીલની છેાકરી રાજા પાસે આવી. પેાતાને પીવા માટે શીતળ પાણી લાવી હતી તે શીતળ પાણી રાજાના મેાઢા ઉપર છાંટ્યું. એટલે રાજાને કંઈક શાંતિ વળી ને ભાનમાં આવ્યા. તેમના મનમાં વિચાર થયા કે મને આ જંગલમાં કેણે જીવતદાન આપ્યુ' ? ભીલની છેકરીને પેાતાની પાસે બેઠેલી જોઈને રાજા હરખાઈ ગયા. રાજાએ કહ્યું- મહેન ! અહીં ક્યાય ખાવાનું મળશે ? મને ખૂબ ભૂખ લાગી છે. ખાધા વિના જીવી શકું' તેમ નથી. આ છેકરી ખૂબ વિનયવંત અને સેવાભાવી હતી. આમ તે ભીલના કુળમાં જન્મી હતી. આવા કુળમાં આવા સ`સ્કારો મળવા મુશ્કેલ છે. પણ આ પૂર્વભવને સંસ્કારી જીન્ન હતા. છેકરીએ વિચાર કર્યો કે આ મોટા માણુસ છે. તે જીવી જશે તે કંઈક ભલા કાર્યો કરશે. માટે ભલે હું ભૂખ વેડીશ પણ આમને આપું. આમ વિચારી તેની પાસે રોટલા ને છાશ હતુ તે આપ્યુ.. આથી રાજા ખૂબ પ્રસન્ન થયા. અને તેને ખલે વાળવાની દૃષ્ટિથી તેને ઘેર ગયા. ભીલ સમજી ગયા કે આ મોટા રાજા છે. તેનો ખૂબ સત્કાર કર્યો ને કહ્યું. પધારો મહારાજા ! પાવન કા મારી ઝુપડી. રાજા કહે કે હું તારી પાસે કંઈક માંગવા આવ્યેા છું. કહેા સાહેખ! શું જોઈએ છે ? રાજા કહે કે તારી દીકરીએ મને જીવાડયા છે. માટે જો તે કુંવારી હોય તે મારી સાથે લગ્ન કર. ભીલે કહ્યું. સાહેબ ! આપ તા અમારા પાલનહાર છે. આપ માટા મહારાજા છે. તે અમે તા તુચ્છ ભીલ જાતિનાં છીએ. આપને ત્યાં ઘણી રાણીએ હશે. મારી દીકરી આપના મહેલમાં ન શેલે. રાજાએ કહ્યું. શાલે કે ન શેલે એ મારે જોવાનુ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy