SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ચરલ ક્રિખર આવ્યું. જેને જે વસ્તુને શેખ હેય તે વસ્તુ તેને નજર સમક્ષ આવતાં આનંદ થાય છે. તે રીતે રાજા પણ ઘડા જોઈને ખુશ થયા ને ઘડાની કિંમત પૂછી. સોદાગરે દરેક ઘેડાની કિંમત કહી. રાજાએ તેમાંથી એક પાણીદાર ઘોડે ખરીદ કર્યો. પણ ઘોડાની પ્રકૃતિ કેવી છે તે પૂછયું નહિ. પ્રકૃતિ એ લગામ છે. આજે કઈ માણસને આપણે પ્રસન્ન કર હેય તે પહેલાં તેની પ્રકૃતિ જાણી લેવી જોઈએ. કેની પ્રકૃતિ કેવી છે તે જાણી લઈ એ ને તે પ્રમાણે કરીએ તે કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. પ્રજાથી છુટા પડી ગયેલા રાજા”: સોદાગર ઘોડા વેચીને ચાલ્યો ગયો. એક દિવસ રાજા નવા ખરીદેલા ઘોડા ઉપર બેસીને પોતાના પ્રધાન અને નોકર સાથે જંગલમાં ફરવા માટે ગયા. થોડીવારમાં જંગલ આવ્યું. ઘોડાને ચાલવાને વેગ ખૂબ હતું, પવનવેગે ઘોડે ચાલવા લાગ્યા. ત્યારે રાજાના મનમાં થયું કે સહેજ ધીમે પાડું. એટલે રાજાએ લગામ ખેંચી તે ઘોડાની ગતિ વધારે તેજ થઈ. ત્યારે રાજાએ વધુ લગામ ખેંચી તે ઘોડે વધુ ઉતાવળે ચાલવા લાગ્યું. જેમ જેમ રાજા લગામ ખેંચતા ગયા તેમ તેમ ઘેડો વધુ પવનવેગે ચાલવા લાગ્યા. રાજા તે બધાથી છૂટા પડી ગયા ને ઘણે દૂર ગાઢ જંગલમાં નીકળી ગયા. રાજાના મનમાં થયું કે હું એકલે પડી ગયો છું. ભયંકર ગાઢ જંગલ છે. હવે આ ઘોડે મને ક્યાં લઈ જો ? કઈ રીતે ઉભું રહેતું નથી. આના કરતાં ઘોડાને છેડી દઉ. આમ વિચાર કરે છે ત્યાં એક મોટા વડનું વૃક્ષ આવ્યું. રાજાએ પોતાના પ્રાણ બચાવવા ઘોડાની લગામ છોડીને વડની ડાળ પકડી લીધી. હાથમાંથી લગામ છૂટતાંની સાથે ઘેડ ઉભે રહી ગયે. રાજા વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા ને વિચાર કરવા લાગ્યા કે આ ઘોડે. અવળી લગામને છે. મેં જેમ લગામ ખેંચી તેમ વધુ વેગથી દેડ. પહેલેથી આ જાણું લીધું હતું તે આવી મુશ્કેલીમાં મૂકાત નહિ. બંધુઓ ! આ તે અવળી લગામને ઘેડો હતે પણ ઘણી વખત મનુષ્યની પ્રકૃતિ એવી હોય છે કે તેને કેઈ કાર્ય કરવાની ના પાડવામાં આવે તે પણ તે કાર્ય વધુ વેગથી કરે છે. કેઈ રેગીને ડેાકટર કહે કે અમુક ચીજ તારે ખાવી નહિ તે તે ખાવાનું જલ્દી મન થાય છે. ને રોગ મટી ગયા પછી તે બેફામ રીતે તે વસ્તુ ખાવા માંડે છે. તે વખત એને ખબર નથી પડતી કે પછી મારું શું થશે? આવી રીતે ભવના રેગી મનુષ્યોને સંતરૂપી ફેકટરે એમ કહે છે કે તમે વિષય ભેગેને ત્યાગ કરે. બ્રહ્મચર્યનું પાલન કરે. વ્યસને ત્યાગ કરે. રાત્રિજનને ત્યાગ કરે. પણ અજ્ઞાની છોને આ વાત ગળે ઉતરતી નથી. તેથી તેઓ વધુ ને વધુ વિષય વાસનાનું સેવન કરે છે. આવા માણસે પણ અવળી લગામના ઘોડા જેવા કહેવાય ને ? જે સવળી લગામના ઘડા જેવા હોય છે તે જ સદ્દગુરૂ સમજાવે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy