SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા ક્રિખર હે સ્વામીનાથ! હું આપને ખૂબ વિચાર કરીને કહું છું કે આપ મને સાથે લઈ જવાની વાત છેડી દે. આ બધા મધુરાજાએ મારા માટે ખેલ રચ્યું છે. મને એવા વસંતેત્સવ ઉજવવા નથી ગમતા. પારકા રજવાડામાં જવું ગમતું નથી. મને મારા મહેલ સિવાય બીજે કયાંય જવું ગમતું નથી. આપ આપની બીજી રાણીઓને લઈ જાઓ પણ મારે આવવું નથી. હું તમને ખુલ્લા શબ્દોમાં કહી દઉં છું કે મારા અંતરાત્મા અંદરથી રડી ઉઠે છે. માટે મને ત્યાં આવવા માટે એક શબ્દ પણ કહેશે નહિ. ત્યારે હેમરથ રાજાએ કહ્યું- હે ઈન્દ્રપ્રભા ! બધા રાજા રાણી સહિત આવે ને તું ન આવે તે કેવું ખરાબ લાગે? વળી આપણને તે બધાં કરતાં વધુ આગ્રહપૂર્વક તેડાવ્યાં છે માટે તારે મારી સાથે આવવું પડશે. મધુરાજા તે આપણા બધાના પિતા તુલ્ય છે. કેવા પવિત્ર છે. ને તું એમના માટે આવા શબ્દો શા માટે બેલે છે? તું કુવાના દેડકા જેવી છે. તને તારા રૂપને ગર્વ છે પણ વિચાર કર. તારા જેવી તે તેના અંતેઉરમાં ઘણી રાણીઓ છે. આ તે આપણું ઉપર એમની કૃપાદષ્ટિ છે તેથી આગ્રહ કરીને તેડાવ્યા છે માટે તું એક શબ્દ પણ બેલ્યા વિના તૈયાર થઈ જા. રાણી કહે છે નાથ! અત્યારે તમને મારી વાત નથી ગમતી પણ પાછળથી પસ્તાવાનું થશે તે નકકી સમજી લેજે. ધાબીનું એકવચન સાંભળી રામચંદ્રજીએ ગર્ભવંતા સતાજીને વનમાં મોકલી દીધા. પછી તેમને કે પસ્તા થયે ! તેમ તમે અત્યારે મારી વાત નથી માનતા પણ પછી પેટભરીને પસ્તાવો થશે. માટે સમજે તે સારું છે, પણ કઈ રીતે હેમરથ રાજા માન્યા નહિ. તેથી ઈન્દ્રપ્રભાને તૈયાર થવું પડયું. બંને જવા માટે નીકળ્યા ત્યાં અપશુકન થયા. તે પણ ગણકાર્યા વિના બંને અધ્યા નગરી પહોંચી ગયા. હેમરથ અને ઈન્દ્રપ્રભા આવ્યાના સમાચાર સાંભળીને મધુરાજાને ખૂબ આનંદ થયે. અને સામે જઈને તેનું સ્વાગત કર્યું. તેમજ પિતાને રહેવાના મહેલની બાજુમાં તેમને રહેવા માટે મહેલ આપે. બીજા રાજાઓને એગ્ય સત્કાર કરીને તેમને પણ જુદી જુદી જગ્યાએ ઉતારે આવે. અને વસંતક્રીડાને આનંદ માણવા માટે ક્રીડા કરવાના વનને શણગારવા માટે વનપાલકને આજ્ઞા કરી. વનમાં રહેલી વાવ, સરોવર વિગેરેમાં સુગંધિત દ્રવ્યે નાંખીને તેનું પાણી સુગંધિત બનાવ્યું. આમ અનેક રીતે વનને સજાવ્યું. અને બધા રાજાએ પિતાની રાણુઓને સાથે લઈને મધુરાજા સાથે વનમાં વસંતકીડા માટે ગયા. ઈન્દ્રપ્રભાને મેળવવા માટે મધુરાજાને કપટ ભરેલે કીમિયો” :એક મહિના સુધી બધા રાજાઓએ મધુરાજા સહિત વસંતક્રિીડાને આનંદ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy