SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ શા ખર સંનિવેશમાં ફરતા રહે છે. ત્યાં ઘણા ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહનાં નિવાસસ્થાનમાં આવાગમન કરે છે એટલે કે મારા કામે હું તમને એકલું ત્યારે તમે મારી આજ્ઞાથી આ બધી જગ્યાએ જાઓ છે ને આવે છે. તે તમે આવે એટલે કે પદ્માવતીદેવીએ બનાવડાવેલ છે તે શ્રીદામકાંડ કેઈ ઠેકાણે જે છે? મનને આકર્ષક, નાકને આનંદ આપે તેવી સુગંધથી મઘમઘતે શ્રીદામકાંડ જોઈ રાજાને એ અનંદ થશે કે શું રાણીની બુદ્ધિ છે! શું એની કળા છે! આ શ્રીદામકાંડ અત્યાર સુધીમાં કદી મેં જોયું નથી. આવું પૂછવામાં રાજાને પોતાની રાણી પ્રત્યે કેટલું ગૌરવ છે ! તે સ્પષ્ટ દેખાય છે. રાણીએ આટલા ઉમંગથી શ્રીદામકાંડ બનાવ્યું હોય ને રાજાને રાણી પ્રત્યે આટલું માન હોય તે વખતે સત્ય વાત રજુ કરવી એ સહેલ વાત નથી. જે સાચા માણસો હોય છે તે આવા સમયે સત્ય વાત રજુ કરી શકે છે. આજે ઘણું માણસ ખુશામત પ્રિય હોય છે. વાત સાચી ન હોય છતાં બહુ સારું છે એમ કહે છે. આપણે મોઢે મીઠું બેલે ને પાછળ વાંકુ બોલે. ભગવાન કહે છે પાછળ વાંકુ બોલવું તેના કરતાં મે જેવું હોય તેવું કહી દેવું. પણ પિ મ = સ્વપન્ન પાછળ વાંકુ બેલવું તે પીઠનું માંસ ખાવા બરાબર છે. માટે પાછળ કેઈનું વાંકુ બોલવું નહિ. પ્રતિબુધિ રાજાને સુબુધ્ધિ પ્રધાન ખુશામત પ્રિય ન હતું. પણ યથાર્થ સત્ય કહેનાર હતું. એટલે રાજાને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. હવે ડીવાર ચરિત્ર લઈએ. ચરિત્ર : મધુરાજાએ હેમરથ રાજાને વસંત્સવ ઉજવવા માટે આવવાનું ખાસ આમંત્રણ મોકલાવ્યું ને પાછો પત્ર લખે. પત્ર વાંચીને સરળ હદયને હેમરથ રાજા ઈન્દુપ્રભાને કહે છે કે મધુરાજાને આપણાં ઉપર કેટલે પ્રેમ છે ! આપણે જલ્દી વસંત્સવમાં જઈએ. ઈન્દુભા કહે છે સ્વામીનાથ! આપની બુધ્ધિ ખવાઈ ગઈ લાગે છે. કોને ખબર કે મધુરાજ આ બધું શા માટે કરતે હશે? આપણે નાના રાજા છીએ ને એ મેટા રાજા છે. છતાં એ આટલે બધે આગ્રહ કરે છે તે આમાં દાળમાં કાળું લાગે છે. મેટા માણસે નાના માણસોને આટલે બધે આદર કરે નહિ. ને આ શા માટે કરે છે ? મોટારાજા નાનાના રક્ષણ માટે હોય છે. વાડ ખેતરનું રક્ષણ કરે છે પણ જે વાડ ચીભડા ગળી જાય તે શા કામની ? મારે ત્યાં નથી આવવું. જે મને ત્યાં લઈ જશે તે આપ મેટી મુશ્કેલીમાં આવી પડશે. રાની કહે મહારાજ ખેલ યહ, મુઝ પર ખાસ રચાયા, મત લે જાએ સાથ નાથ, મં સેચ કહું પતિરાયા હ-શ્રોતા.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy