SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૬૧૭ કેવા કેવા ઉપસર્ગો આવ્યા ! પરિષહ વેઠયાં છતાં તારી કેટલી ક્ષમતા ને કેવી અજોડ સાધના ! અહાહા ! કેમળ શરીરવાળા ભગવાને કર્મનાં દેણ ચૂકવવા માટે ઉપસર્ગોના. પહાડ તૂટી પડયા, પરિષહની ઝડી વરસી તે પણ હાય એટલો હુંકાર કર્યો નથી. કષાને જીતીને આત્માને શીતળીભૂત બનાવ્યા. બંધુઓ ! જ્યાં કષાય રૂપ ઉકળાટ છે ત્યાં કર્મબંધન છે. પણ જ્યાં ક્ષમા રૂપી શીતળતા છે ત્યાં કર્મબંધન નથી. જેમ લેખંડને ટુકડા અગ્નિમાં તપાવ્યું હોય ને પછી પાણીમાં નાંખે તે તે સમ સમ..કરતું પાણીને ચૂસે છે. પણ જે તપાવ્યા વિનાનું લેખંડ પાણીમાં નાંખશે તો તે પાણીને ચૂસતું નથી. તેમ છે આત્મા કષાયરૂપી અગ્નિથી તપે છે તે કર્મવર્ગણાના પુદ્ગલે ગ્રહણ કરે છે. स कषायत्वाज्जीवः कर्मणा योग्यान पुद्गलानादत्ते । કર્મની વર્ગણ તે આ લેકમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે પણ જીવ કષાયમાં જોડાય છે ને રાગ-દ્વેષની ચીકાશ તેમાં ભળે છે ત્યારે તે જીવ કર્મનું બંધન કરે છે. પણ જે આત્મા કષાય આવવાના પ્રસંગમાં સુખ અને દુઃખમાં સહનશીલતા રાખી શીતળ બને છે તેને કર્મનું બંધન અત્યંત અલ્પ હોય છે. માટે જે કર્મના બંધન તેડવા હોય તે લીપ ગsguir આત્માને શીતળીભૂત બનાવે. મેહની રમખાણ” – ધન્નાજીને સંસાર અસાર લાગે. વૈરાગ્ય જાગ્યો ત્યારે તેમની માતાની પાસે દીક્ષાની આજ્ઞા લેવા માટે ગયા ને બોલ્યા-હે માતા ! મને સંસાર અસાર લાગે છે. આ સંસારના કામગ “grfમત્ત પુર્ણ થg #g ટુ ” ક્ષણિક સુખ અને લાંબા કાળ સુધી દુઃખ આપનારા છે. મારે હવે સંસારમાં રહી ખેટનો ધંધો કરે નથી. જ્યાં ક્ષણે ક્ષણે અનંતા કર્મોની નિર્જર થાય તેવો સંયમ અંગીકાર કરે છે. માટે હે માતાજી ! મને દીક્ષાની આજ્ઞા આપો. પુત્રના આ વૈરાગ્યભર્યા શબ્દો સાંભળીને માતા મૂછવશ થઈને ધરતી ઉપર ઢળી પડી. એક વખત એવો હતો કે માતાને સહેજ માથું દુખે કે તાવ આવે ત્યારે ધનાજી રડી પડતાં ને ભગવાનને એવી પ્રાર્થના કરતાં કે હે પ્રભુ! મારી માતાને જલ્દી સારું થાય. પણ જ્યારે સંસારની અસારતાનું ભાન થયું ને દીક્ષા લેવા તૈયાર થયા અને માતા પાસે આજ્ઞા માંગી ત્યારે માતા મૂછગત થઈને ધરતી ઉપર પડી ગયા ત્યારે ધનાજીની આંખમાં આંસુ આવ્યા નહિ. કારણ કે તેમને સમજાયું કે આ મહદશા છે. માતાની મૂછ વળી અને જ્યારે ભાનમાં આવી ત્યારે પુત્રની આંખમાં આંસુ ન જોયા, ત્યારે માતા પૂછે છે બેટા ! તું આટલે બધે નિષ્ફર બની ગયો છે કે બેભાન બની ગઈ છતાં તને હેજ પણ અસર નથી થતી, 9૮.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy