SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શારદા શિખર અંધુએ ! માતાને માહનીય ક્રમ રડાવે છે. જેમ માણસના શરીરમાં પારકા પલ્લે પ્રવેશ કરે છે ત્યારે તેને ઘડીકમાં હસાવે છે, રડાવે છે, નચાવે છે, કુદાવે છે તેમ માહ પણ પારકા પલ્લા છે. જેના કાઠામાં માહનુ પ્રમળ જોર છે તેને મનગમતાં સુખો મળતાં હસે છે, એ સુખો ચાલ્યા જતાં રહે છે. પેલા પારકે પલ્લેા માણસને હેરાન પરેશાન કરે છે. પણ તે શુધ્ધ સમ્યક્ત્વધારી આત્માઓનાં તેજથી ભાગી જાય છે. અર્જુનમાળીના કાઠામાં યક્ષ પેઠા હતા પણ શુધ્ધ સમ્યક્ત્વધારી સુદર્શનશેઠનાં તેજને ઝીલી શકયા નહિ. એટલે અર્જુનમાળીના કાઠામાંથી તેને ભાગી જવુ પડયું. સંસારી સમ્યક્દની આત્માના તેજથી યક્ષરૂપ પારકા પત્લા ભાગી ગયા. તેમ જેના ચેતનદેવ જાગે અને પેાતાની અનંત શક્તિના રણકાર કરે તે મેહરૂપી પારકા પલ્લાની તાકાત છે કે તે ટકી શકે ? ના. આપણેા આત્મા અનંત શક્તિના ધણી છે. એ ધારે તે ત્રીજા ભવે મેાક્ષમાં જઈ શકે તેવી તેનામાં તાકાત છે. પણ હજી આ ચેતનદેવ જાગ્યા નથી ત્યાં માહ કયાંથી ભાગે ? ધન્નાજીની માતાએ પૂછ્યુ બેટા ! પહેલાં તે મારુ. સ્હેજ માથું દુઃખે ત્યારે તને કંઈક થઈ જતું હતું. તુ રડતા હતા ને અત્યારે કેમ કઠણ બની ગયા ? હૈ માતા ! એવું કાંઈ નથી. પ્રથમ મને માહે જીત્યા હતા તેથી રડતા હતા પણ હવે મેં માહ જીત્યા છે. માટે હું માતા ! મને દીક્ષાની આજ્ઞા આપે. મારે આ ઉત્તમ માનવભવને ભાગ વિષયમાં પડીને ગુમાવવા નથી. જે મનુષ્ય આળસ અને પ્રમાદમાં પડીને મનુષ્યજન્મને બ્ય ગુમાવે છે તે અજ્ઞાની મનુષ્ય સુવણું ના થાળમાં માટી ભરે, અમૃતથી પગ ધોવે, ઉત્તમ હાથી ઉપર લાકડાનાં ભારા ભરે અને અમૂલ્ય ચિંતામણી રત્નનો ઉપયેાગ કાગડાને ઉડાડવામાં કરે તેની માફક ગણાય. કોઈ ગરીબ માણુસ ઉપર રાજા પ્રસન્ન થાય ને તેને સેાનાનો રત્નજડિત થાળ આપે. પણ પેલા ગરીબ તેમાં માટીને કચરો ભરે તેા તમે તેને કેવા કહા ? મૂર્ખા જ કહા ને ? કોઈ ખિમાર માણસને કોઈ સિધ્ધપુરૂષ તેની ખિમારી મટાડવા અમૃતનો ખાટલા ભરી આપ્યા પણુ અજ્ઞાનને વશ થઈ તે રોગી માણસ રાગને દૂર કરવા માટે તેને પીતા નથી પણ તેનો ઉપચાગ પગ ધેાવામાં કરે, અને હાથી ઉપર બેસવાને અદલે મૂખ માણસ તેના ઉપર લાકડાના ભારા મૂકીને ગામમાં વેચવા નીકળે તે તે બંનેની મૂર્ખાઈ ઉપર તમને હસવું આવશે ને ? હા. તા હવે તમને પૂછું છું કે તમને રત્નજડિત સુવણુ થાળ જેવા, અમૃત જેવા, ઉત્તમ હાથી જેવા અને ચિંતામણી રત્ન જેવા મનુષ્યભવ મળ્યા છે. તેની એકેક સેંકડ કિંમતી છે. તેનો ઉપયાગ શેમાં કરી રહ્યા છે. ? ભાગવિલાસમાં માનવ જિંદગીનો સમય વેડફી રહ્યાં છે, મારે તમને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy