SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન.−૭ અષાડ સુદ ૧૫ ને રવીવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેન ! આજે ચાતુર્માસ પ્રારંભના મંગલ દિવસ છે. ઉપાશ્રયમાં માનવમહેરામણુ ઉમટા છે. સાથે તમને અતિપ્રિય એવા રવીવારને અષાડ સુદ પૂર્ણિમાને દિન આવી ગયા. ખીજી પૂર્ણિમાએ કરતાં અષાડ સુદ પૂર્ણિમાનું મહત્વ વિશેષ છે. આજે ભારત ભરમાં વિચરતા સમસ્ત જૈન સંત સતીજીએ ચાતુર્માસ માટે પોતે નિશ્ચિત કરેલા સ્થાને પહેાંચી જશે. સંતાને વિહાર વધુ પ્રિય હાય છે. અને વિહારમાં સંયમની સુરક્ષા હૈાય છે. ત્યારે શ્રાવક-શ્રાવિકાઓને સંતા સ્થિર રહે તેમાં આનંદ આવે છે, સ્થાનકમાં જો સંત-સતીજી ખિરાજમાન હાય તેા શ્રાવક તેમનાં દન કરી માંગલિક સાંભળી શકે છે. તેમનું વ્યાખ્યાન સાંભળીને લાભ લે છે અને તેમને નિર્દોષ સૂઝતા આહાર-પાણી વહેરાવી કર પવિત્ર કરવાને! લાભ મળે છે. એટલે શ્રાવકને આનંદ આવે છે. પણ સતને વિચારવામાં લાભ છે. જેમ નદી વહેતી હાય તે તેની આસપાસના પ્રદેશને લીલેામ ને હરિયાળા બનાવે છે. તેમ સંતાનુ જ્યાં પુનિત પદાર્પણ થાય છે તે તે પ્રદેશને ધર્મારાધનાથી હરિયાળા બનાવે છે. તા. ૧૧-૭-૭૬ ખંધુએ ! ઘણાં એમ માને છે કે મહાસતીજી ચાતુર્માસ કરવા માટે ઘાટકોપર પધાર્યા એટલે ચાર મહિના માટે બધાઈ ગયા. હવે આપણે ઉપાશ્રયે જઈએ કે ન જઈ એ પણ મહાસતીજી ચાર મહિના ઉપાશ્રય છેડીને કયાંય જવાના નથી. ભાઈ ! અમે તમારા અંધને બંધાયા નથી પણ કના બંધનથી મુક્ત બનવા માટે વીતરાગ પ્રભુની આજ્ઞાના મધને ખંધાયા છીએ. કારણ કે ચાતુર્માસના દિવસેામાં જીવેાની ઉત્પત્તિ વધુ થાય છે. એટલે વિચરવામાં છકાય જીવેાની હિંસા થાય છે. એટલે ચાતુમાસમાં એક સ્થાનકમાં રહી જ્ઞાન-દન-ચારિત્ર અને તપની આરાધના કરવા અને કરાવવાની પ્રભુની આજ્ઞા છે. એ પ્રભુની આજ્ઞાનું પાલન કરવાના અમને આનદ છે. જ્યારે વરસાદ વરસે છે ત્યારે સડકા, રસ્તાએ, અને ગટરમાં જે કચરા જામ્યા હાય છે તેને ધોઈને સાફ કરી નાંખે છે. તેમ વીતરાગ વાણીને વરસાદ વરસે છે ત્યારે માનવીની મનરૂપી ગટરમાં ક્રોધ-માન-માયા-લાભ અને સ્વાથના જે કૂડા કચરા જામ્યા હોય છે તેને ધોઈને સ્વચ્છ ખનાવે છે. ખંધુએ ! જ્યારે વીતરાગ વાણીના વરસાદ વરસે ત્યારે તમે તમારા મનની ગટરો ખોલી નાંખો કે જેમાં કુવાસનાના જે કચરા જામી ગયા હાય તે ધાવાઈ જાય અને મન સ્વચ્છ બની જાય. મેઘ ગાજેને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy