SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ગાયે ઉમંગે ગીત અપ્સરા, દેવાના મન હરખાયા, નારકીના જીવાએ નીરખ્યા, તેજ તણેા ઝબકારા રે. શારદા શિખર પ્રભુના જન્મ થતાં સત્ર શાંતિ પ્રસરી ગઈ. દેવ-દેવીઓને પણ આનંદ થયા. નારકીના જીવાને પણ એ ઘડી માટે મારકૂટ બંધ થઈ ગઈ અને પૃથ્વી ઉપરથી જાણે અંધકાર દૂર થઈને પ્રકાશ પથરાયા ન હોય ! તેવું દેખાવા લાગ્યું. આ છે તી કર પ્રભુના જન્મ મહાત્સવના મહિમા. માત પિતાએ પુત્રનું નામ આપ્યું વમાન કુમાર, ખંધુએ ! આ તે આપણે પ્રભુના જન્મની વાત કરી. પણ પ્રભુ મોટા થયા સ'સારમાં કેવી રીતે રહ્યા ને કેવુ' જીવન જીવી ગયા તે વિષે થાડું કહુ છું. આપણા પરમ પિતા મહાવીરપ્રભુ જગતમાં જન્મ્યા ને જીવન જીવી ગયા. તેમનુ જીવન આપણને અનુપમ આદર્શો આપી ગયું છે. એ આદર્શને આપણા જીવનમાં અપનાવવા તે આપણા હાથની વાત છે. મહાવીરપ્રભુ ગૃહસ્થાવાસમાં સંસારના સુખા ભાગવવા છતાં અનાસકત ભાવથી રહેતા હતા. આજે સ'સારમાં મોટા ભાગના જીવે ગૃહસ્થાશ્રમમાં રહીને તેમાં તન્મય બની વિષય વાસનાએને પાષે છે. જ્યારે આજે જેમની જન્મજયતિ ઉજવીએ છીએ તે પ્રભુ રાજકુળમાં જન્મ પામ્યા. એમને ત્યાં અતુલ વૈભવ, ઋધ્ધિ સિધ્ધિની રેલમછેલ હાવા છતાં સ્વ–પરનું કલ્યાણ કરવા માટે રાજવૈભવના સુખા છેોડીને તપ-ત્યાગના કઠીન માગે મહાવીરપ્રભુએ કદમ ઉઠાવ્યા. મહાવીર પ્રભુનું શરીર આપણાં જેવું હતુ'. આપણને જેવા સંચાગેા મળ્યા છે તેવા સ ́ચેાગેા તેમને મળ્યા હતા. છતાં તેએ સિધ્ધિના શિખરે આરૂઢ થઈ ગયા ને હજી આપણે તે ભવાટવીમાં ભમ્રણ કરી રહ્યા છીએ. તેનું કારણ શું ? તે સમજાય છે ? આજે તમે મહાવીરપ્રભુની જન્મજયંતિ સાંભળીને આનંદ અનુભવા છે પણ એટલાથી આનંદ માનીને બેસી રહેવાનુ નથી. એમણે જન્મીને શું કર્યું ને આપણે શું કરી રહ્યા છીએ તે વિચારવાનું છે. પ્રભુએ સસાર ત્યાગ કરીને સયમ અંગીકાર કર્યો. સયમ લઈને સાડા બાર વર્ષ ને પંદર દિવસ સુધી એકધારી કઠોર સાધના કરી. એ સાધનામાં એ ઉપવાસથી ઓછા ઉપવાસ નહિ. તે ઉપરાંત તે સાધનામાં પલાંઠી વાળીને જમીન ઉપર બેઠાં નથી. આત્મસાધના માટે કેવા પ્રખળ પુરૂષાથ ! કેવુ. શારીરિક અને માનસિક આત્મદમન ! આવી સાધનાની તાલે જગતના કોઈ મહાપુરૂષ આવી નહિ શકે. મહાવીરપ્રભુનીયા સબ્યાપી હતી. એ દયા માત્ર મનુષ્ય, પશુ, પક્ષી, કીડી અને મકાડા પૂરતી ન હતી. પણ પૃથ્વી-પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના દરેક જીવા માટે હતી. એકેન્દ્રિયમાં જીવ છે તે આજનું વિજ્ઞાન સાબિત કરે છે પણ આપણાં પ્રભુ તે વર્ષો પહેલાં બતાવી ગયા છે. એવા પ્રભુ અનાય દેશેામાં
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy