SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શાલ મા ઉપાડ ને તેમાં ઘણીવાર ઉત્કૃષ્ટ ભાવ આવતું હશે પણ તેનાથી કંઈ લાભ ખરે? સંસારના કાર્યમાં કર્મબંધન સિવાય બીજું કાંઈ નથી. સમ્યકત્વની તાકાત છે, જુઓ, કહ્યું છે કે, ચંતોમાં પિ, સિદ્ય સુજ્ઞ હું સમi | तेसिं अवड पुम्गलं, परियट्टो चैव संसारो ॥ જે જીવને અંતમુહુર્ત પણ સમ્યક્ત્વને સ્પર્શ થઈ જાય છે તેને વધુમાં વધુ માત્ર અધ પગલપરાવર્તન સંસાર બાકી રહે. એથી વધુ કાળ તેને સસ્તરમાં ભમવાનું રહેતું નથી. જેના શરીરમાં ઝેર હોય તેને મરણનો ભય છે પણ ઝેર નીકળી ગયા પછી મરણને ડર રહેતો નથી. તેમ જેણે મિથ્યાત્વનાં ઝેર વમી સમ્યકત્વ સુધાના પાન કરી લીધા તેનાં જન્મ-મરણના ફેરા અંતમાં આવી ગયા. તેમાં શંકા કરવાનું કેઈ કારણ નથી. સમ્યકત્વ એ કઈ બહારની ચીજ નથી. એ આત્માને ગુણ છે. સમ્યકત્વ પ્રગટ થાય એટલે તેને સ્વાદ આવ્યા વિના ન રહે. હું તમને પૂછું છું કે તમે મોઢામાં સાકરને ટુકડે નાંખે તો તેને સ્વાદ આવે કે નહિ ? કેરી ખાઓ તે તેના સ્વાદની ખબર પડે કે નહિ? ત્યાં તે તરત બેલી ઉઠે છે કે અહે! શું સાકરની મીઠાશ છે ! શું કરીને સ્વાદ છે ! તે જ રીતે આત્મામાં સમ્યગદર્શન આદિ ગુણે પ્રગટે તે તેને સ્વાનુભવ શું ન થાય ? જરૂર થાય. કારણકે આત્મા તે સંવેદનશીલ છે. સુખ-દુઃખ આદિ દરેક વસ્તુનું આત્માને સંવેદન થાય છે. તેમ જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિ કેઈપણ ગુણ આત્મામાં પ્રગટ થયે હોય તે, તેને સ્વાનુભવ આત્માને જરૂર જાગવો જોઈએ. જેમ કેઈ બિમારીથી અશકત બની કિકા બન ગયેલા માણસના શરીરમાં નવું લેહી આવે એટલે તેના શરીરની આખી રોનક બદલાઈ જાય છે. તેમ આત્મામાં સમ્યક્ત્વને ગુણ પ્રગટે એટલે આમાની દશા બદલાઈ જાય છે. સમ્યક્દર્શન જ્ઞાન અને ચારિત્રમાં આત્મા રમણતા કરતે થઈ જાય એટલે સમજી લેવું કે હવે નૌકા કિનારે પહોંચવાની અણી ઉપર છે. - સમ્યકત્વ પામવા માટે સર્વ પ્રથમ રાગ અને દ્વેષ પાતળા પાડવા પો. ના ના વિ જ વીર્થ” કારણકે રાગ અને દ્વેષ એ બંને કર્મનાં બીજી છે. એ બંને કર્મબંધનના હેતુ છે. તેને નાશ થશે એટલે કર્મબંધ થતું અટકી જશે. જ્યાં કર્મબંધ અટકે ત્યાં જન્મ-મરણ અટકે. અને આત્મા મૃત્યુંજય બના જાય છે. પછી તેને માથે કાળને ભય રહેતો નથી. આમ તે કાળ સભક્ષી કહેવાય છે પણ જે આત્માઓ રાગ-દ્વેષને ક્ષય કરે છે તે કાળને કેવી કરી જાય છે. ભગવંત કહે છે કે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy