SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ E ચારતા તર જાય. કેમ વજુભાઈ ખરાખર છે ને ? (હસાહસ) ક્યાં સુધી હસીને પતાવશે? હું ત દીક્ષા લેવાનું કહું છું. પણ જે દીક્ષા ન લઈ શકે તે બ્રહ્મચર્યોંમાં તે આવે, મહાખલ આદિ સાતે અગારાએ સમજીને સયમ લીધે કેવી ઉગ્ર સાધના *રી. તેમણે આટલુ' બધું કર્યુ તે તમે સંસારમાં રહીને કામના ઉપર વિજય નથી મેળવી શકતા ? તપ કરીને સતાએ શરીર ગાળી નાંખ્યું. હવે સાધનામાં શરીર સહાયક બની શકે તેમ નથી. પાતે જ્યાં બેઠા હેાય ત્યાંથી ઉઠીને ગુરૂની પાસે જતાં એ-ત્રણ વિસામા લેવા પડે. તેવુ શરીર થઈ ગયું. ત્યારે તેમણે શું કર્યુ : "णवरं थेरे आपुच्छित्ता चारु पव्वयं दुरुहंति, दुरुहित्ता जाव दो मासियाए संलेहणाए सवीसं भत्तसयं चउरासीई वाससय सहस्साई सामण्ण परियाग पाउणति ।" સ્કંદક મુનિએ જેમ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા મેળવી હતી તે રીતે આ માતે અણુગારાએ સ્થવિર ભગવંતા પાસેથી આજ્ઞા મેળવી. એટલે કે સાત અણુગારા પોતાના સ્થાનેથી ઉઠીને જ્યાં સ્થવિર ભગવંત બિરાજતા હતા ત્યાં આવ્યા. આવીને વંદા નમસ્કાર કરીને ખૂબ નમ્રતાપૂર્વક કહ્યું કે હે ભગવંત! હવે અમારું' શરીર જીણુ થયું છે. આત્મસાધના કરવામાં સહાયક અને તેવી તાકાત રહી નથી. તે આપ આજ્ઞા આપે। તો અમે સથારે કરીએ. સ્થવિર ભગવંતોએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ જોઈ ને તેમને સથારા કરવાની આજ્ઞા આપી. સ્થવિર ભગવતોની આજ્ઞા પ્રાપ્ત કરીને સાતે અણુગારા ચારૂ નામના પવ ત ઉપર પહોંચ્યા. ત્યાં જઈ ને સથા કરવા માટે ભૂમિનું પડિલેહણ કયું. પડિલેહણુ કરીને ઈરિયાવહી પડિમીને લેાગસ ખેલી ભગવાનની સ્તુતિ કરીને તેમણે પાપાગમન સથારા કર્યાં. પાદપાગમન સ થારા એટલે શું? જેમ વૃક્ષ ઉપરથી ડાળી નીચે પડે તેમ પડી રહે છે. હાલતી ચાલતી નથી. તેમ જે પાદપેાગમન સંથારા કરે છે તેને તે રીતે રહેવાનું હાય છે. પાદપેાગમન સંથારા કરનાર પહેલાં એ નક્કી કરી લે કે મારે સૂતા સૂતા સંથારા કરવા છે કે એઠાં બેઠાં કરવા છે. ચત્તા સૂવું કે પડખાભર સૂવું. તે રીતે જે નક્કી કરે તે રીતે પાપાગમન સથારે કરે છે. પછી તેમનાથી હુલાય નહિ, ચલાય નહિ કે ખેાલાય નહિ. જે સ્થિતિમાં હાય તે સ્થિતિમાં રહેવાય. એટલે પાદપાગમન સંથારો ખહુ કઠીન છે. આપણે તો સાજા શરીરે ખાઈ-પીને પણ પડખાભર સૂઈ શકતા નથી. સૂતાં સૂતાં કેટલી વાર પડખાં ફેરવવા જોઈએ છે. જ્યારે આ સ'તોની તપશ્ચર્યાની કાયા હતી. શરીરમાં હાડકાં ખખડતાં હતા. છતાં આવા કઠીન પાદપાગમન સંથારા કર્યાં. સંથારા કરીને મનમાં કાઈ જાતના વિકલ્પ નહિ કે વિચાર નહિ. ખસ, એક વીતરાગ પ્રભુના સ્મરણમાં લીન ખની ગયા. મહાખલ પ્રમુખ સાત અણુગારાનેસ'થારો બે મહિના ચાલ્યેા. છેવટે ૮૪
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy