SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ જય શારદા શિખર સ્થાનક અરિહંતનું છે. અરિહંત પ્રભુના ગુણ ગાતાં જીવને જધન્ય રસ આવે તે કર્મની કોડે ખપી જાય ને ઉત્કૃષ્ટ રસ આવે તો તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે. મહાબલ અણગાર અરિહંત પ્રભુના ગુણગાન કરવામાં મસ્ત બની ગયા. જે પુણ્યાત્મા અરિહંત પ્રભુના ગુણગ્રામ કરવામાં મસ્ત બની જાય છે. તેને સંસાર કટ થઈ જાય છે. અને જે આત્મા થી ભરેલી દુનિયામાં ખોવાઈ જાય છે તે ચર્તગતિ સંસારમાં ભટકે છે. બંધુઓ! અનંતકાળથી આત્મા થી ભરેલી દુનિયામાં ખોવાઈ ગયું છે. એ દેશમાં મન-વચન અને કાયાને જોડીને દોષ દેત (દુર્ગુણી) બને છે. દેષને દેસ્ત બનેલે આત્મા દુઃખ ભોગવવા માટે દુર્ગતિમાં જાય છે. તેના બદલે આત્મા જે મન-વચન-કાયાથી અરિહંત ભગવાનના ગુણગ્રામ કરે તે અનંત ગુણને નીધિ બનીને સદાને માટે અનંત સુખને સ્વામી બની જાય. જે અરિહંતપદ પ્રાપ્ત કરવું હોય તે વારંવાર અરિહંતના ગુણોનું સ્મરણ કરે. મહાબલ અણગાર અરિહંત પ્રભુના ગુણોનું સ્મરણ કરે છે. હે પ્રભુ! આપનામાં અનંત ગુણે રહેલાં છે. આપનામાં રહેલા અનંત ગુણેને નીધિ મારામાં આવે, મેં શાસ્ત્ર સિદ્ધાંત દ્વારા આપના ગુણેનું વાંચન કર્યું છે. ત્યારથી મને એવા ગુણે પ્રાપ્ત કરવાની લગની લાગી છે. જેમ માલિકની સેવા કરનાર નોકર ન્યાલ થઈ જાય તેમ હે પ્રભુ! આપ અમારા માલિક છે ને હું આપને સેવક છું. આપ અનંત ગુણના સ્વામી છે. તે શું મને એક દિવસ આપના જે અનંત ગુણને સ્વામી નહિ બનાવો ? મને શ્રધ્ધા છે કે આપ મને આપના જેવો બનાવશો. હે કરૂણાસિંધુ ! આપ મારે હાથ પકડીને આ દેશોથી ભરેલી દુનિયામાંથી મને બહાર કાઢીને આપની પાસે લઈ જાઓ. હવે મને એક ક્ષણ પણ આપનાથી દૂર રહેવું ગમતું નથી. હું સદા આપની પાસે રહીને આપનું ધ્યાન ધરીશ. આપના ગુણની સ્તુતિ કરીશ. ને આપની આજ્ઞાનું પાલન કરીશ. આપના પવિત્ર નામનો નિરંતર જાપ કરીશ. હવે કદાપિ દેષોની દસ્તી નહિ કરું. નિરંતર દેષ તરફ દુગંછાભાવ રાખીશ. અને આપનામાં રહેલા અદ્ભૂત ગુણેને પ્રાપ્ત કરવા ખૂબ મહેનત કરીશ. ને આપના શાસનમાં પૂર્ણ વફાદાર રહીશ. ગમે તેવી લાલચ, લોભ કે ભયના પ્રસંગમાં પણ આપના શાસનને કદાપિ છોડીશ નહિ. આ તે મહાબલ અણગાર અરિહંત પ્રભુના ગુણગ્રામ કરતાં આવી ભાવના ભાવે છે. તમે પણ સવારમાં દરરોજ પ્રાર્થના કરે છે ને ? એ પ્રાર્થના કરતાં પ્રભુમાં લીન બની જાઓ ને અરિહંત-સિધ્ધ ભગવાનના ગુણેનું સ્મરણ કરી આવી ભાવના ભાવો તે ક્યારેક એ પદમાં નંબર લાગી જશે,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy