SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૩૨૭ અહે ! આપણુ નાયક આહાર કરતાં નથી ને આપણે આહાર કરે પડે છે. તેઓ તે૫ સમાધિમાં કેવા લીન રહે છે ને આપણે તે આહાર કરીએ છીએ. એ પશ્ચાતાપ કરતા હતા. જ્યારે મહાબેલ અણુગારના મનમાં એમ છે કે મારાથી એ નાના છે ને હું મટે છું. તે મારું મોટાપણું કાયમ રહેવું જોઈએ. એટલે આવી માયા સહિત તપ કરે છે. દેવાનુપ્રિય! તમે સંસારમાં પણ દેખે છે ને કે માણસ શ્રીમંતાઈથી મોટે હોય કે સત્તાથી માટે હોય છે તેને તેના મોટાપણાનું કેટલું માન હેય છે! કે હું કંઈક છું. તેની સત્તા નીચે રહેનારા માણસની જે હેજ ભૂલ થાય અગર તેનું કહ્યું ના કરે તે એ સત્તાધીશ પિતાની સત્તાના નશામાં આવી પેલા ગરીબ માણસને કચડી નાખે છે. જ્ઞાની કહે છે કે દારૂના નશા કરતાં પણ સત્તાને, શ્રીમંતાઈને નશે ખતરનાક છે. તમને સત્તા મળી છે તે તેનાથી બીજાનું ભલું કરે. લકમી મળી હોય તે ગરીબના આંસુ લુછી ને બુદ્ધિ સારી હોય તે તત્વજ્ઞાનમાં બુદ્ધિ ફેર અને બીજાને સારી સલાહ આપે પણ તેને ગર્વ કરીને બીજાને કચડશે નહિ. ભગવાન કહે છે તે મારા સાધકે! તમે માની કે માયાવી ના બનશે. માન મીઠું ઝેર છે. એ ભવ પરંપરા વધારનાર છે. માન-માયા એ બધું પરભાવ છે. પરભાવમાં પડતા આત્માને બચાવી લે. પલ્લા ઉપર કરજો હલે ગુણ ગાણુથી ભરજે ગલ્લો. સ્થિરતાથી સંભાળજો ગલ્લે, કદી ન પકડે પાપને પલ્લે. સાચા સાધુ કેવા હોય ? આત્માની મસ્તીમાં ગુલતાં હોય. તેમને વળી પહેલે કે? જે સાધુ બને છે તે સંસારની ગુલામી-પરાધીનતાની બેડી તોડીને નીકળે છે. એને કેઈની ગુલામી ન હોય. પણ જે સાધુ સાધુપણાથી ભૂલે તે ગુલામ બને. પણ વીતરાગની આજ્ઞાનું જે સાધક યથાર્થ રીતે પાલન કરતા હોય તે ગુલામ ન બને. કઈ પણ વસ્તુ, ક્ષેત્ર અને વ્યક્તિનું બંધન તે પારકે પલે છે. સાધુને કઈ વસ્તુ પ્રત્યે મમત્વ ન હોય કે આ મારું છે. હું ને મારું સંસારમાં છોડીને આવ્યો. હવે હું ને મારું શું? આ ઘાટકોપર ક્ષેત્ર, આ શ્રાવક તે મારા છે. અરે ! જેને છેડીને આવ્યા તેના ઉપર આટલે બધે મમત્વ ! આનું નામ લે. જેમ કેઈ માણસને વ્યંતર દેવને ઉપદ્રવ થતો હોય તે કહે છે ને કે આના શરીરમાં પારકે પલે છે તે એને હેરાન કરે છે. તેમ જે સાધુ વસ્તુ, વ્યકિત કે ક્ષેત્રના મમત્વમાં પડે છે, માન અને માયાનું સેવન કરે છે તેને પારકે પલે કહેવાય. સાચે સાધુ રાગમાં રંગાય નહિ. પરને સંગી ના બને ને પરાધીનતાના બંધને બંધાય નહિ. એ તે વૈરાગ્યના રંગે રંગાઈને સંયમની ધારે ચાલે. સંયમનું સ્થાન
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy