SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ તારા શિખર ૧૧ ગુણમયતાનું ભાન થાય છે. સંસારની માયા મિથ્યા અને સંચાગો વિયેાગશીલ લાગે છે. ભેાગોની ભયંકરતા અને ત્યાગની શ્રેષ્ઠતા સમજાય છે. વ્રત-નિયમો પ્રત્યે પ્રેમ જાગે છે. આત્મ સ્વરૂપની પિછાણ થાય છે. પૈસા-પત્ની અને પરિવારના મોહ ઘટે છે ને પાપના ડર લાગે છે. જગતના પદાર્થોની ક્ષણ ભંગુરતા દેખાય છે ને સ`સાર જેલ જેવા લાગે છે. જન્મ-મરણના ત્રાસ છૂટે છે. સંસારમાં જ્યાં ને ત્યાં સ્વાનુ સામ્રાજ્ય વ્યાપેલું દેખાય છે. ત્યારે હું કાણુ ને મારુ શું તેનું સાચું ભાન થાય છે ને જગતના જડ પદાર્થોમાં સાચું સુખ નથી પણ આત્મામાં સાચું સુખ રહેલુ છે તેની દૃઢ પ્રતીતિ થાય છે. આટલું થાય ત્યારે સમજો કે માનવ જીવનનું મૂલ્યાંકન થયું છે. જેને આ જીવનનું મૂલ્ય સમજાયું છે તેને આત્મિક સદ્ગુણરૂપી અધ્યાત્મ અગીચા ખીલી ઉઠે છે. એવા મહાન અણુગારની વાત આપણે ચાલી રહી છે. વ અઠ્ઠમતો ક્ષમ અદ્દ સમતો ટુવાહનમા” તે બધા છ અણુગારો જ્યારે અઠ્ઠમ કરતા ત્યારે મહાખલ અણુગાર કંઈ ને કંઈ કારણ દર્શાવીને દશ ભક્ત એટલે ચાર ઉપવાસ કરતા અને છ સતા ચાર ઉપવાસ કરતા ત્યારે તે માર ભક્ત એટલે પાંચ ઉપવાસ કરતાં હતાં. : મહાખલ અણુગારના છ મિત્રા જે છ સ ંતા છે તે પણ એવા પવિત્ર સતા છે કે જ્યારે પારણાંનો દિવસ આવે ત્યારે શુષ્પ-નિર્દોષ આહારની ગવેષણા કરવા નીકળતાં. ત્યારે મનમાં એવી પવિત્ર ભાવના હોય કે આજે તે એવા શુધ્ધ ભાવથી ગૌચરી લઈ ને આવીએ કે આપણાં વડીલ મહામલઅણુગાર આપણી સાથે પારણું કરીને આપણને પાવન કરે. સ ંતા ખૂબ ઉપયોગ પૂર્ણાંક નિર્દોષ આહારની ગવેષણા કરતા હતા. સાધુના દરેક કાર્યમાં ખૂબ વિવેક હાય. સાધુ કેવી રીતે ગૌચરી કરે ? ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં કહ્યું છે કે आहारमिच्छे मियमेसणिअं, सहाय मिच्छे निउणत्थ बुद्धि | નિય મિચ્છે વિવેજ્ઞાનું, સમાદિ જામે સમળે તવલ્લી ઉત્ત. સૂ. અ. ૩ર ગાથા ૪ જ્ઞાન–દન, ચારિત્રની સમાધિના ઇચ્છનાર તપસ્વી સાધુને આહારની ઈચ્છા થાય તે મર્યાદાપૂર્ણાંક ૪૨ તથા ૯૬ દોષરહિત શુધ્ધ આહારની ગવેષણા કરે. જો સહાયકની ઈચ્છા થાય તેા જીવાદિ નવતત્ત્વનો જાણકાર, તીવ્ર બુધ્ધિવાળા અને ચારિત્રમાં દઢ તેવા ગુણવાન સહાયકને ઈચ્છે અને સ્થાન પણ જ્યાં ચારિત્રનું રક્ષણ થાય તેવુ' હાય તેમાં રહે. દેવાનુપ્રિયા ! જે આત્માથી સંત છે, આત્માનું શ્રેય સાધવા માટે સ' સારથી મુક્ત થયા છે તેની તે નિર ંતર એક ઈચ્છા હાય કે મારે કર્મીને ખપાવી જલ્દી માક્ષમાં જવુ છે. અત્યાર સુધીમાં કાઈ ફાઈ વખતે ચારિત્ર તે લીધુ, સાધના કરી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy