SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ - શારદા શિખર - ૨૭૩ સાથેના યુદ્ધમાં જીતવા માટે ક્ષમા, સંયમ આદિ અમોઘ શસ્ત્રો હોય તે મહરાજાની વિરાટ સેનાને પરાજિત કરી શકાય છે. (વિરતિ) સંયમના વિકાસ માટે, એના રક્ષણ માટે જ્ઞાન ભણવાનું છે. જેમ જેમ જ્ઞાન વધુ ભણતાં જઈએ તેમ તેમ સંયમી જીવન વધુ દઢ બને છે. સંયમને દઢ કરે તે સાચું જ્ઞાન છે. દેવાનુપ્રિયે! જ્ઞાન અને વિરતિ (સંયમ) આ બંનેને ભાઈ-બહેન જે સબંધ • છે. જ્ઞાન રૂપી ભાઈ તેની વિરતિ રૂપી બહેનને બૂમ પાડીને બોલાવે છે. સાચા જ્ઞાન રૂપી વીરાને અને વિરતિની વેલડી રૂપી બહેનડી વિના ગમે નહિ. અને વિરતિ રૂપી બહેનડીને જ્ઞાનરૂપી વીરા વિના ગમે નહિ. ધર્મરાજાના સૈન્યમાં આ ભાઈ અને બહેન મુખ્ય ભાગ ભજવે છે. ધર્મરાજા આ ભાઈ-બહેનની જોડીને સદા પિતાની પાસે રાખે છે. અને તેની સામે સદા મીઠી નજરથી જુએ છે. આ ભાઈ–બહેનની જોડીને જોઈને મેહરાજાનું સૈન્ય ખૂબ ગભરાય છે. એ ભાઈ-બહેનની જોડીને વિખૂટી પાડવા માટે મહારાજાના સૈનિકે ઘણાં દાવપેચ રમે છે, ત્યારે એના દાવ ઘણીવાર સીધા પડી જાય છે. અને ક્યારેક જ્ઞાન રૂપી વીરાથી વિરતી રૂપી - બહેનને જુદા પાડી દે છે. ત્યારે ધર્મરાજાના સૈન્યનું બળ તૂટી જાય છે. આટલા માટે જ્ઞાની પુરૂષે તમને પડકાર કરીને કહે છે કે હે ભવ્ય છે ! જે તમારે મેહરાજાના સૈન્યને જીતવું હોય તે જ્ઞાન અને વિરતિ એ બેમાંથી એકને પણ છોડશે નહિ. એ બંનેની સહાયથી તમે મેહરાજા ઉપર જીત મેળવીને મોક્ષમાં જઈ શકશે. જ્ઞાન દ્વારા તમે નવતત્વને જાણે. એના નામ તે તમને આવડે છે ને? जीवा जीवा य बन्धो य, पुण्णं पावासवो तहा। સંવ નિન્ના મોવ, સન્ત તદિયા નવ ઉત્ત,સૂઆ, ૨૮ ગાથા ૧૪ જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ આ નવા તો છે. આ નવતત્વમાં જાણવા યોગ્ય કેટલા? છાંડવા ગ્ય કેટલા ને આદરવા ગ્ય કેટલા? તે જાણે છે ? એ જ્ઞાન દ્વારા જાણી શકાય છે. જીવાદિ તત્વ જાણવા ગ્ય છે. અજીવ, પાપ, આશ્રવ, અને બંધ એ છાંડવા ગ્ય છે, પુણ્ય ગૃહસ્થને ઉપાદેય અને મુનિને હેય છે. સંવર, નિર્જરા અને મેક્ષ એ ત્રણે તો આદરવા યોગ્ય છે. આ રીતે જાણ્યા પછી હેય પદાર્થોને છોડવા જોઈએ ને ઉપાદેય આદરવા જોઈએ. તમે આશ્રવ તત્વને જા, એ જાણ્યા પછી બેસી રહેવાનું નથી. પણ આશ્રવ એ મારા આત્માને કટ્ટો શત્રુ છે, મારે એને નાશ કરે છે. એમ સમજીને આશ્રવનો નાશ કરવા પુરૂષાર્થ કરવાનો છે. સમજે, શત્રુને કે ઘરમાં પિસવા દે? “ના” તો આશ્રવ પણ આત્માને શત્રુ છે એને ઉભે રહેવા દેવાય ? સંવર રૂપી સૈનિકની સહાય ૩૫
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy