SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શારદા શિખર ને વાત જાણી ગયે. એટલે લાડવામાંથી ઝેર ખેંચી લઈને ડબલ અમૃત નાંખ્યું. લાડવા તે સુગંધીદારને સ્વાદિષ્ટ બની ગયા. રાજમહેલમાં જઈને લાડવાને ડઓ આપતાં કહ્યું. મહારાજા! આ લાડવા તે એકલી વિદ્યુતપ્રભાને ખાવા માટે તેની માતાએ મોકલ્યા છે. રાજા કહેના. મને તે તમે લાવે છે તે બહુ ભાવે છે. માટે હું તે ખાવાને. બ્રાહ્મણ કહે–પણ આ માટે લાડે તે મારી દીકરી ખાશે. માટે લાડ વિદ્યુતપ્રભાને ખવડાવે ને બીજા લાડવા તે બધાએ ખાધા. લાડ ખાતાં વિદ્યુતુપ્રભાનું રૂપ એર વધી ગયું. બધા કહે વિદ્યુતપ્રભાની માતા ખૂબ હોંશિયાર છે કે આવા સ્વાદિષ્ટ લાડવા બનાવે છે. માતાએ કેવા સ્વાદિષ્ટ લાડવા બનાવ્યાં છે એ તે જ્ઞાની જાણે છે. બ્રાહ્મણ તે બિચારે અજાણ છે. આ તે દેવી અમૃતને સ્વાદ છે.ઝેરી માણસ બીજાને મારવા ગમે તેમ કરે પણ જેનું પુણ્ય પ્રબળ હોય ત્યાં કોની તાકાત છે કે તેને વાળ વાંકે કરી શકે. “ક્ષરિત પુuથાન પુરતાના” બ્રાહ્મણની માંગણ મારી દીકરીને મારા ઘરે મોકલે ? હવે બ્રાહ્મણે રાજાને કહ્યું. સાહેબ! મારી પુત્રી પરણ્યા પછી મારે ઘેર આવી નથી. પણ આ સીમંતનો પ્રસંગ છે. પહેલી સૂવાવડ તે પિયર થવી જોઈએ. તેની માતા પણ તેને મળવા તલસે છે. માટે મારી સાથે મોકલે. ત્યારે રાજાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે એ વાત નહિ બને. હું વિદ્યુતપ્રભા વિગ એક ક્ષણ પણ સહન કરી શકું તેમ નથી. એટલે બ્રાહ્મણ વિલે મેં પાછો ફર્યો. ત્યારે ત્રીજીવાર બ્રાહ્મણીએ કહ્યું. ગમે તેમ કરીને વિદ્યુતપ્રભાને લઈ આવે. રાજા ન માને તે તમારું બ્રાહ્મણપણું દેખાડીને પણ લઈ આવજે. ત્રીજી વખત ફેણીને કરંડી ભરીને મોકલ્યો. તે વખતે પણ દેવે ઝેર ચૂસીને અમૃત મૂક્યું. તેથી ફેણી સુગંધીદાર ને સ્વાદિષ્ટ બની ગઈ. બંધુઓ ! ઓરમાન માતાના દિલની દુષ્ટતાની હવે હદ આવી ગઈ છે. કેઈપણ રીતે એ વિદ્યુતપ્રભાને મારી નાંખવા ઈચ્છે છે. ને જુદા જુદા કાવત્રા રચે છે પણ ફાવટ આવતી નથી. બ્રાહ્મણ ત્રીજી વખત ગયે ને ફેણીનો કરંડીયે રાજાને આપે. બધા ખાઈને ખુશ થયા પછી બ્રાહ્મણે કહ્યું. વિદ્યુતપ્રભાને મારે ઘેર મોકલે. રાજાએ સાફ ના પાડી ત્યારે બ્રાહ્મણે કહ્યું કે શું અમે ગરીબ છીએ એટલે અમારે ત્યાં અમારી દીકરી આવે નહિ ! પરણ્યા પછી એક દિવસ પણ તમે મારી દીકરીને એકલી નથી. એ તે ખેર ! પણ આવા પ્રસંગે ન મેકલે તો અમારું ખરાબ દેખાય. દુનિયા પણ અમને ચુંટી ખાય કે દીકરીને કદી તેડતા નથી. માટે મારી સાથે જ મોકલે. બ્રાહ્મણે રાજા પાસે કરેલો દેખાવ” ? રાજાને વિદ્યુતપ્રભા ઉપર અગાધ નેહ છે એટલે બ્રાહ્મણને ના પાડી. ત્યારે બ્રાહ્મણે એની પત્નીના પાઠ ભણાવ્યા પ્રમાણે ચરિત્ર ભજવવાનું શરૂ કર્યું. પોતાના ખિસ્સામાં રહેલી છરી બહાર કાઢીને પિતાના
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy