SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ કપડવણજની ગૌરવ ગાથા વળી મંદિરના ચેકમાં એક ખૂણે પડતું હતું. તે પણ કાઢી નાંખવાનો ઉમંગ થયે, આથી હળી ચકલા તરફ જવાને ઉત્તર દિશાને જે માટે રસ્તે ત્યાં મકાને વેચાતી લઈને ખૂણે કાઢી નાખે. એ રીતે દહેરાસરની શેભા વધારી અને ઠાઠમાઠથી અને ધામધૂમ પુર્વક સંવત ૨૦૩૮ માં શતાબ્દી મહત્સવ ઉજવ્યું. મંદિરની એક બાજુ એટલા ઉપર શાશનદેવી પદ્માવતી માતા તથા શ્રી ચકેશ્વરી માતાની આબેહૂબ દેરીઓ બનાવી છે. ખડકીમાંના મંદિરના દરવાજાની બાજુમાં શ્રી ઘંટાકર્ણની દેરી પણ બનાવી છે. ' શ્રીશાન્તનાથ ભગવાનનું દહેરાસર આ મંદિર કંસારવાડાના ચલે ઢાકવાડીમાં આવેલું છે. આ દહેરાસર ત્રણ સંબંધમાં આવે છે. (૧) માણેક શેઠાણને બૈરાને ઉપાશ્રય (૨) માણેક શેઠાણીનું આદીશ્વર ભગવાનનું દહેરાસર (૩) શાન્તિનાથ ભગવાનનું દહેરાસર. (જુઓ ચિત્ર નં. ૮૬) પૂર્વકાલની અંદર જ્યારે માણેક શેઠાણનું દહેરાસર અને ઉપાશ્રય નહતાં થયાં ત્યારે આ દહેરાસરને રસ્તે મહેતાના ઘરની જડે દ્વાર છે ત્યાંથી હતે. અત્યારે પણ તે દ્વાર મોજૂદ છે. આ દહેરાસર કયારનું ને કેટલું જનું હશે તેને પુરા ભલે આપણી પાસે ના હોય પણ શ્રી શાન્તીનાથ ભગવાનની પ્રતિમા ઉપર સં. ૧૬૧૮ને લેખ છે. (જૂઓ ચિત્ર નં ૮૭) વળી આ મંદિરને જીર્ણોધ્ધાર ગમે ત્યારે થો હોય તે ન કહેવાય પણ ગર્વમેન્ટ ગેઝેટમાં કપડવણજમાં રહેલી જૂની ઐતિહાસિક પુરાણુ ચીજોમાં ભેંયરામાં રહેલા શ્રીકલીકુન્ડ પાર્શ્વનાથની નેધ કરેલી છે. (જુઓ ચિત્ર નં. ૮૮) બીજી વાત-શ્રીલીકુન્ડ પાર્શ્વનાથની પ્રતિમાજી ઘણું પ્રાચીન છે અને તેને લેપ પણ કરાવે છે. એ શ્રી શાન્તિનાથ ભગવાનના ભેંયરામાં બિરાજમાન છે અને ભેંયરૂ જોઈએ તે એમ દેખાય કે તેની આખીય રચના ઘણા પૂર્વકાળની છે. નવું બાંધકામ કરતાં એવી ખૂબી વાપરી છે કે શ્રી શાન્તીનાથ ભગવાનના ઉમરા નીચેથી જોતાં શ્રી કલીકુન્ડ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન થાય છે. આ ભેંયરામાં અત્યારે સિદ્ધચક ભગવાનને પટ આર. કસ્તુલાલ તરફથી કરાવે છે. અહીં બીજી પ્રતિમાઓ પણ છે. - શ્રી શાન્તીનાથ ભગવાનના મંદિરને ત્રણ ગભારી છે. તેને ફરતી પ્રદક્ષિણા (ભમતી) છે. અને તે પ્રદક્ષિણામાં ભગવાનના માથે પગ ના આવે તે માટે વચ્ચે વચ્ચે અડધી ઘુમટી પણ કરેલી છે. શ્રી શાન્તીનાથ ભગવાનને મંડપ ઉત્તર-દક્ષિણ છે. ગભરાનું દ્વાર
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy