SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ : સૂત્ર - ટીકા ૨૪૭ આ લૌકિક સૌંદર્ય હોતે છતે લોકોતર ધર્મના અધિકારી થવાય છે માટે હવે કહે છે - 'શુભગુરુનો યોગ એટલે વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય જોડે સંબંધ તથા 'તદ્વયન સેવા એટલે સદ્ગુરૂના વચનની સેવા, ક્યારેય પણ આ લોકો અહિતનો ઉપદેશ આપતા નથી. 'આભવમ્ એટલે આસંસારમ્ સંસારના છેડા સુધી. 'અખંડા એટલે સંપૂર્ણ. આ પ્રણિધાન નિદાન રૂપ નથી કારણ કે પ્રાયઃ નિઃસંગ અભિલાષ રૂપ છે. આ અપ્રમત્તસંયત(૭માં ગુણસ્થાનકે)થી પૂર્વે કરવુ. (અપુનર્બલકથી છટ્ઠા ગુણસ્થાનક સુધી) કેમકે અપ્રમતાદિને (૭ અને તેથી ઉપરના ગુણસ્થાનકવાળાને) મોક્ષની પણ ઈચ્છા હોતી નથી. આમ આવા શુભ ફળના પ્રણિધાન સુધી ચૈત્યવંદન છે....
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy