________________
૧૦૪
જય વીયરાય ૨. વનકર્મ - જંગલ ખરીદી, લાકડા વગેરે કાપી
વહેંચવા. ૩. શકટીકર્મ - ગાડા વગેરે, ટુર્સ-ટ્રાવેલ્સ વગેરેનો
ધંધો કરવો. ૪. ભાટી કર્મ - ભાડે બીજાના માલસામાનની ફેરાફેરી
વગેરે કરવી, ટ્રાન્સપોર્ટ આદિ. ૫. ફોટી કર્મ - જમીન ખોદવી, સુરંગ ફોડવી
વગેરે. સડકો બાંધવામાં આજે આ કરાય છે. દંતવાણિજ્ય - આદિવાસીઓને હાથીદાંતનું પહેલાથી મૂલ્ય આપે, તેથી તેઓ હાથીને મારે. તે દાંતના વેચાણાદિ કરવા. એમ શંખ વગેરે પણ સમજવા. લાક્ષાવાણિજ્ય - આમાં પણ ઉપર મુજબ જ સમજવું. લાક્ષા = લાલ રંગનો રસ હોય. તેમાં
કૃમિ-કીડાની વિરાધના થાય છે. ૮. રસવાણિજ્ય - દારૂનું પીઠું ચલાવવું કે દારૂ
વગેરેને લગતો ધંધો કરવો. ૯. કેશવાણિજ્ય - દાસી-નોકરાણી, ગુલામ વગેરેને
લઈને બીજે વેચવા. આમાં પણ પરવશતા વગેરે અનેક દોષ છે.