SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ શુદ્ધનય પદાર્થના સત્કૃષ્ટ નિર્દોષ અને શુદ્ધસ્વભાવરૂપ એકજ અદ્વિતીય અવસ્થાને પ્રગટ કરે છે. જે સમયે અત્યંત શુદ્ધદ્રવ્ય જ્ઞાન વિષય થાય છે તે સમયે તે દ્રવ્યની અશુદ્ધતાને અનુભવ અસંભવ છે. કારણ એક જ વસ્તુમાં અત્યંત શુદ્ધતા અને અશુદ્ધતા યુગપત રહી શકતી નથી. તે પ્રમાણે કેઈ સુવર્ણકારના હાથમાં પંદરવધુ અશુદ્ધ સોનું હેય છે ત્યારે તે જીવ તેની જ પરીક્ષા કરવા લાગી જાય છે ત્યારે તે વૈભાવિકભાવરૂપ અશુદ્ધ સુવર્ણને જ અનુભવ કરે છે. તે જે સમયમાં અશુદ્ધ સુવર્ણને અનુભવ કરે છે તે સમયમાં તેને તે સેનાના વિષયમાં શુદ્ધતાને અનુભવ હોતો નથી. જે કોઈ જીવ વૈભાવિકભાવમય અશુદ્ધ આત્માને અનુભવ કરે છે ત્યારે તેને પરમ પરિણામિકભાવરૂપ પરમશુદ્ધજ્ઞાનવનેક સ્વભાવને અનુભવ કદીપણ થઈ શકતા નથી: કારણકે તેને તે સમયમાં વ્યવહારનયજ ખાસ જરૂર છે. વ્યવહારનય અશુદ્ધ દ્રવ્યનું કથન કરે છે, તે વિશિષ્ટ એકશુદ્ધસ્વભાવવાલા દ્રવ્યના અનેક ભાવેને પ્રગટ કરે છે. ' यः पश्यति आत्मानं अबद्धस्पृष्टमनन्यकं नियतम् । अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि ॥३७१॥ . અન્વયાર્થ:- જે નય આત્માને બંધ રહિત અને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષરહિત અન્યના
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy