SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનની 8િ દેશના અદ્વિતીય વિશિષ્ટતા B%888888888888888888**USB***** [ સં૨૦૦૦ ફા. વદ ૪ નેમુભાઈની વાડીસૂરત ] હુને વિચાર કરવાનું સ્થાન કયું? હું”ને ખુલાસો નથી મેળવ્યું. મનુષ્યપણામાં આવ્યું છતાં “હું”ને ખુલાસે અહીં ન મેળવીએ તે ખુલાસે કયાં મેળવીશું ? જાનવર, પશુપંખીના ભાવમાં “હું”પદને ખુલાસે નહીં મેળવી શકીએ હું એને ખુલાસે કયાં મેળવશે? આંખ રત્ન ગણાય, જીવન તરીકે, આધાર તરીકે ગણાય પણ તેની ટેવને તેની પાસે રાખે. આખા જગતને જુએ, પરંતુ પિતાને ન જુએ. આંખમાં કણીઓ પડે તે આંખ ન જુએ. હીરા, મેતી, પન્ના, જુએ પણ પિતાને ન જુએ! “હું” કેણ એ વિચારે નહિ ! આખા જગતની ચિંતા–વિચાર કરે પણ પિતાને વિચાર, કરે નહીં કે મારી સ્થિતિ કેવી હતી? ને હવે કેવી થશે? તે વિચાર હું કરતું નથી. ઘરનું બારણું, બારી, છાપરાનું આમ કરવું છે, છોકરા છોકરી પરણાવવા છે, કમાણી કરી છે, એ વિચાર હું કરું છું. નાતવાળાએ. વિચાર કરે કે–આમ રિવાજ કરે છે, આમ આવક–જાવક થાય છે, તેમ ગામવાળાઓ ગામ સંબંધી વિચારવાનું કહે, પણ “હું”ને વિચાર કરવાનું સ્થાન કયું? - બીજા બધા પદાર્થોના વિચારના સ્થાને છે. કંચન-ઘર-હાટ-સ્ત્રી -ચોરી વગેરેને વિચાર કરવાનાં સ્થાન રાખ્યાં. કાયાને વિચાર કરવા દવાખાનાં રસડા રાખ્યાં, પણ હું ને વિચાર કરવાનું સ્થાન કયું ? કાજીના કુતરાનું મરણ થાય, તો ગામ આખું આભડવા આવે, પણ કાજીના મરણમાં કેઈન આવે. હુ’ના વિચારો કઈ જગ્યાએ કર્યા? માતાપિતા-શેઠરાજા–પ્રધાન–સેનાપતિએ બધા છે, પણ તેમાંના કેઈ “હું ને. વિચાર કરવાનું કહેતા નથી ! આ સંજોગમાં હું ને વિચાર થાય શી રીતે ?
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy