SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧. સાધન અને સાધ્ય [૪૧૯ નહીં, ભદ્રગુપ્તસૂરિ આકાશ લબ્ધિવાળા કે વૈક્રિયલબ્ધિવાળા નહીં, છતાં વાસ્વામી તેમના આલંબને વધેલા છતાં તેમના શિષ્ય આકાશ ગામિની અને વિક્રિય લબ્ધિવાળા થયા. આચાર્ય છવાસ્થ સરાગી હોય તે પણ તેમને ત્રીજે પદે મોક્ષના હેતુ તરીકે આરાધવાની જરૂર છે. કેડિયું, દિવેટ, તેલથી ઝાંખો દીવાના આલંબને દીવ થયે, પણ ટોપલે રૂ હેય, ઘણું તેલ હોય તેને પ્રકાશ કેટલો થાય? તેમ ઉત્તમ જીવો ઉત્તમ પરિણતિવાળા છતાં આચાર્યનું આલંબન ન લે તે ટોપલા રૂની માફક એમને એમ પડયા રહે, માટે આચાર્યની આરાધનાની જરૂર છે. સરગી છવા છતાં આચાર્યની આરાધનાની જરૂર માલુમ પડશે. આથી નિદ્ધોને અવિરતિ મિથ્યાદષ્ટિને આરાધના કરવામાં અડચણ શું ? ઓલવાઈ ગયેલે દી કેટલા દીવા પ્રગટ કરે? પણ ઝાંખાથી સેંકડો થશે. મિથ્યાષ્ટિ, અવિરતિ આચાર્ય નામધારી હોય તે ઓલવાઈ ગયેલા દીવા સમાન છે, તેમ સરાગી, છઘસ્થ આચાર્યો ઝાંખા દીવા સમાન છે. સળગતી દીવેટ છે ત્યાં સુધી બીજા દીવા કરાય છે તેમ આમાં દીપક નામનું સમ્યક્ત્વ માનીએ છીએ. અભવ્યપણે માલુમ પડેલા જીવથી કેઈ સમ્યક્ત્વ પામ્યું નથી, મેક્ષ પામ્યું નથી. અભવ્ય તરીકે માલુમ પડ્યું હોય તેનાથી પરંપરા ચાલે નહીં. ચાલુમાં આવા અવિરતિ મિથ્યાદષ્ટિ જીવો આલંબન તરીકે શાસનમાં ચાલી શકે નહિ, પણ સરાગ છદ્મસ્થ જ ચાલે. કઈ કહે, કે આનું કારણ શું? આ તે તમે બચાવ કરે છે. જે સરાગ છસ્વસ્થપણુ મોક્ષમાર્ગમાં બાધક છે તે અહીં પણ બાધક છે કે નહિ ? શંકા વ્યાજબી કરી છે પણ એક જ વાત ધ્યાનમાં લેવાની છે. પૂલ ઉપર રહેલે મુસાફર અને અથાગ પાણીમાં તરનારે, નીચે નદીમાં ડૂબતાને શું કરે? જેને જેનું આલંબન તે તે સ્થાને રહેવું જોઈએ. મક્ષ જવાનું આલંબન મોક્ષના માર્ગમાં જોઈએ, મોક્ષના માર્ગની બહાર રહેલે આલંબન બને નહિ. અહીં વિરતિ અને સમ્યક્ત્વ આવ્યા વગર મેક્ષનું પગથિયું નથી. અવિપિતિ સમકિતદકિટ પૂલ ઉપર રહેલે લંગડે છે તે સાયકલ ઉપરથી પહેલાને ટેકે દઈ શકે છે જેને
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy