SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. સાધાકેની શ્રેષ્ઠતા [૧ જે સ્થિર છે, તેવા સાધમિકેની ભકિત સર્વ પ્રકારે કરવી જોઈએ, અવશ્ય આ આપણું ર્તવ્ય છે. આવા સાધર્મિકની ભક્તિ જિનેશ્વરની ભક્તિને અંગે સાવધ નહિ જ કરું, નિરવઘ જે કરું એવું કાંઈ વિચારે છે? ચાંદીનાં નિરવદ્ય ફૂલ મૂકું. સાવદ્ય સચિત્ત ફૂલ શા માટે મૂકું ? તેમ વિચારતા નથી. તેમ શ્રાવકની “ભક્તિ, તે જ એય હોવું જોઈએ. સાધર્મિકને પહેરામણી - આચાર્ય મહારાજદેવેન્દ્રસૂરિજી મહારાજ શ્રાદ્ધદિન-કૃત્યમાં પહેલી ગાથામાં સાધમિકેની ભક્તિ કેવી રીતે કરવી ? તે જણાવતાં કહે છે કેતેમાં દેશ, કુળ, જાતિને ભેદ અવકાશ પામે ન જોઈએ. સાધર્મિકમાં માત્ર જિનેશ્વરની માન્યતા, ગુણમાં મજબૂત, વર્તન સમાન જોઈએ. જિનેશ્વરને ધર્મ અને તે આધારે જ પ્રવૃત્તિ, ગુણમાં નિશ્ચલપણું જેવું. આ જોઈને સાધમિકેની ભક્તિ કરવી. તે કઈ રીતે કરવી ? - પેથડશાહ તથા જાંજડશાહના અધિકાર સાંભળો છે? શ્રાવકે દરેક વર્ષે આખા વરસમાં એક વખત આખા સંઘને નિમંત્રણ કરવું ને પહેરામણ આપવી. બાળકને બાળકને આખે વેશ, બાલિકાને તેને જ વેશ હોય ને યુવાનોને પાઘડી સુધીને વેશ. બધાને એને લાયકના વેશ આપવા તે પહેરામણ. પરિધાપનિકાપૂર્વક”—એ જ વાત અહીં કહે છે. ઉત્તમમાં ઉત્તમ વસ્ત્રો લાવી દરેક સાધમિકેને આપવાં. તે સાધર્મિક ભક્તિમાં એકલાં વસ્ત્ર આપવાં? | સર્જર ટુર્મિક્ષાવી દુષ્કાળ વગેરે સમયે અનાજ ઘેર ઘેર મેકલવું તેનું નામ સાધર્મિક ભક્તિ. કેટલાકે નિરવધ ભક્તિ જણાવે છે. શાસ્ત્રકાર અનાજ મેકલવા કહે છે. પાણી પીવાનું. કૂવા તળાવના પાણી બધાંને મળે છે. પણ જે જે વખતે પાણીની જરૂર હોય, તે તે વખતે બધી જાતનાં પાણીઓ પણ સાધર્મિકોને આપવાં તે પણ સાધર્મિક ભક્તિ છે. તેને નિરવદ્ય માનીએ તે સિદ્ધાચલજી ઉપર કેટલાક પરબ બેસાડશે, તે તેમને કેવા ગણવા? .
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy