SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮] દેશના મહિમા દર્શન પરાથ–સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થયા વગર સ્વાર્થ-સિદ્ધિ થતી નથી, તેથી જ તીર્થકરે તીર્થની પ્રવૃત્તિ કેવળજ્ઞાન પછી કરે છે. તીર્થકર નામકર્મનાં બે ફળઃ ૧. પૂજ્યતા અને ૨. તીર્થપ્રવૃત્તિ. દશમા દેવલેકથી અવીને માતાની કુક્ષિમાં આવનારા મહાવીર ભગવાનની પૂજ્યતા શરૂ થઈ. ગર્ભમાં આવ્યા તેને ચ્યવન કલ્યાણક માન્યું અને ઈન્દ્રાદિ દેવેએ પૂજાના મહોત્સવ કર્યા તેથી ગર્ભની શરૂઆતથી પૂજ્યતાની પ્રસિદ્ધિ થઈ પૂજ્યતા રૂપ પ્રથમ ફળની શરૂઆત ગર્ભથી હોવા છતાં તીર્થંકર નામકર્મના વાસ્તવિક ફળ રૂપે તીર્થ પ્રવૃત્તિ તે કેવળજ્ઞાન પછી થઈ. આ જ વાતને સ્પષ્ટ કરતાં ચૌદ પૂર્વધર ભગવન્ત ભદ્રબાહુસ્વામી આવશ્યકનિયુક્તિમાં જણાવે છે કે –મનિસ્ટાપ ધર્મનri | છદ્મસ્થપણામાં તીર્થકર ઉપદેશ કેમ દે નહિ? આ પ્રશ્નના સમાધાનમાં સમજવું જોઈએ કે બીજાના કહેવાનું કહેવું થાય, તેથી જ કેવળજ્ઞાન પછી દેશનાદિ દે. આ સ્થળે. સમજવાની ખાસ જરૂરિયાત છે કે પ્રવેગ કરીને કેઈએ ફળ મેળવ્યાં હોય અને ફળપ્રાપ્તિ કરનારના કથનના હિસાબે ફળનું સ્વરૂપ કહેવું તથા દેખાડવું હોય તે જુદી વાત છે, પરંતુ સ્વયમેવ પ્રયોગ કરી, કષ્ટ. વેઠીને ફળ મેળવ્યું હોય તેવાઓ ફળનું સ્વરૂપ કહે અને દેખાડે તે અદ્વિતીય અપૂર્વ વાત છે. અપૂર્વ જ્ઞાનસાધન પ્રાપ્ત થયા છતાં સંયમ વગર સાધ્ય સિદ્ધિ નથી અને સાધ્ય સિદ્ધિના વધામણાં સેંકડો માઈલ દૂર છે. આ પ્રસંગમાં પ્રત્યક્ષ દષ્ટાન્ત રૂપે તીર્થકરે છે. તેથી અપૂર્વ સાધન જ્ઞાનના પ્રબળ પ્રભાવે કેવળજ્ઞાન અપૂર્વ રૂપ સિદ્ધિ પ્રાપ્ત થઈ. | શબ્દપ્રીતિ અને પદાથપ્રીતિ જગમાં શબ્દપ્રીતિ તરફ દોડનારા સેંકડે છે. પરંતુ પદાર્થ પ્રીતિ તરફ ધસનારા તદ્દન અલ્પ સંખ્યામાં છે. શબ્દપ્રીતિ અને પ્રદાર્થ–પ્રીતિને ફરક સમજવાની જરૂર છે. સંપ શબ્દ સૌને ગમે છે. તમારા ઘરમાં સંપ છે?” એ “સંપ” શબ્દ સાંભળો સારો લાગે છે. પરંતુ તે સંપ કે કેમ? તેનું સ્વરૂપ સમજ્યા નથી. અર્થાત્ સંપ
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy