SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮] દેશના મહિમા દર્શન સામાન્યતયા જાનવર પણ સહુ-અસદુ વિવેકવાળા છે. એરંડીયા પર કીડી ચડતી નથી, સાકર-પતાસા પર કીડીઓ ચડે છે. પથરા પર કીડીઓ કેમ એકઠી નથી થતી? એને એ વિચાર તે છે જ, કે આ મારું ભક્ષ્ય છે, પથરામાં મારું ભક્ષ્ય નથી. જાનવરની આગળ ખરાબ પદાર્થ હોય તે તેમાં કે મુતરડીની ડોલમાં તે મેં નહીં નાંખે ઈન્દ્રિયના હિસાબે શુભ-અશુભ વિચાર જાનવરેને પણ હોય છે–પરંતુ ઈન્દ્રિયેના વિષયને અંગે ખરેખર સારાસાર જાણવાની તાકાત ફક્ત મનુષ્યને છે. ભવિષ્યને ઉદય સંકલ્પાધીન છે. મનુષ્યની વિચારશક્તિ શામાં ચરિતાર્થ થાય? આત્માને અંગે સારાસાર પદાર્થને વિચાર કરે તે તેમાં વિચારશક્તિ ચરિતાર્થ થાય. વિચાર કરવાની તેવી તાકાત આપણને આવી. પ્રથમ આપણે કયાં હતા? હવે કયી સ્થિતિએ પહોંચ્યા? મોક્ષ મેળવે એ તે બે ઘડીનું કામ છે. આર્યક્ષેત્રમાં ઉત્તમાદિ કુળમાં આવ્યા પછી જે પ્રાણ, પિતાના આત્માને ધર્મને રસ્તે ખીલવી લે, તે અંતર્મુહૂર્તમાં મેક્ષ થાય. મરુદેવા માતા અનાદિકાળથી ધર્મને પામેલા નથી. અનાદિથી રખડતા કદિ મનુષ્યપણું કે જાનવરપણું પામ્યા નથી. કેવળ વનસ્પતિમાં જ રખડ્યા હતા. વનસ્પતિ સિવાય બીજો ભવ તેમને નથી. અનાદિ વનસ્પતિમાંથી આવેલે જીવ, એકાએક યુગલિક થયે. ત્યાં જુગલીયા પણામાંય ધર્મ સંબંધી પવન નથી. એ સ્થિતિના મનુષ્યપણામાં પણ જેણે લાખે પર્વો પસાર કર્યા છે એને સંસ્કારનું સ્થાન નથી. આમ છતાં એક મનુષ્યપણાના પ્રભાવે ચમત્કારિક રીતે અંતર્મુહૂર્તમાં મેક્ષે જાય છે. સાધને કેટલાં અને કેવાં મળ્યાં છે? મળેલાં સાધનને ઉપગ કરી શકીએ તે એક અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ સાધી શકીએ, આટલું બળ-સાધન આપણને આજે મળેલ છે. ચક્રવર્તિની સેવામાં હજારે છતાં સંક૯૫માં હારી જાય તે? આ જીવ બીજું ભલે ન કરી શકે તેપણુ કાર્ય સિદ્ધ કરી શકે. આ જીવને ભવિષ્યને ઉદય સંકલ્પને
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy