SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦] દેશના મહિમા દર્શન બેઠા. કેવળ જ્ઞાન થયા પછી તે કહ્યું. હજાર વરસ પછી કેવળજ્ઞાન થાય તે ત્યાં સુધી કેમ ન કહ્યું જે મનુષ્ય પ્રવર્તક હોય તેને અથથી તે ઈતિ સુધીની રજૂઆત કરવી પડે છે ત્યારે તીર્થકરે એટલે ધર્મના પ્રવર્તક તેથી તેમને છેલ્લામાં છેલ્લું કેવળજ્ઞાનનું ફળ રજૂ કરવું પડે છે. આ જગતમાં તે કયારે યથાર્થ કહેવાય ? પિતે આરંભ-પરિગ્રહ છેડી કેવળજ્ઞાન મેળવ્યું હોય તે જ તે ઉપદેશ દઈ શકે. તેથી તીર્થંકર છદ્મસ્થપણામાં ઉપદેશ દેતા નથી. પણ કારણકાર્યને સાક્ષાત્કાર કરાવવા માટે કેવળીપણામાં જ ઉપદેશ આપે છે. પ્રવર્તકેને–ફળ મેળવ્યા પછી ઉપદેશ દેવાને રહે છે. આપણે તીર્થકર મહારાજની પાછળ ચાલનારા અનુચરે, તેથી તેમનાં નામે કહી શકીએ. અનુચરે પિસ્ટમેનની રીતે કહી શકે. ટપાલમાં લાખ રૂપિયાને ચેક આવ્યું. તે મોકલનારના નામે જમે થાય, પિષ્ટમેનના નામે જમે ન થાય. આચાર્ય ઉપાધ્યાય, સાધુ એ તીર્થંકર મહારાજના પાષ્ટમેન. “જિનેશ્વર મહારાજે આમ કહેલ છે.” એમ કહી આચાર્યાદિક ઉપદેશ આપે. તેમના વચનના અનુવાદ તરીકે ઉપદેશ આપે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુનું કથન “જિનેશ્વર મહારાજ કહે છે કે એ પ્રકારે નીકળે. કહેવાનું તત્વ એ કે–વિષયાદિકમાં આ જીવ રગદોળાએ હવાથી–રહેવાથી તે તરફ-દુર્ગતિ તરફ જીવે દેડી રહ્યા છે, તેમને રેકનાર કેશુ? દુર્ગતિમાં દોડતા જીવને રોકવાની દેવ-ગુરુમાં શક્તિ નથી. જે તેમનામાં એ તાકાત હોય તે એક પણ જીવને દુર્ગતિ તરફ દેડવા ન દેત. પિતાના આત્માને દુર્ગતિથી બચાવવાનું હેત તે કયારનીએ દુર્ગતિ બંધ કરી દીધી હેત. ત્યારે દુર્ગતિથી બચાવનાર કેણ? દુર્ગતિથી બચાવનાર ધર્મ. તે દેવગુરુ શું કરે? ધર્મ દ્વારા દુર્ગતિથી બચાવે. આથી તેઓના ઉપદેશ દ્વારા આપણે ધર્મનું આલંબન લઈએ, તે દુર્ગતિથી બચીએ. એટલે તીર્થકરે, ગુરુમહારાજ ધર્મ દ્વારા દુર્ગતિથી બચાવે.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy