SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭. દુર્ગતિવિનાશકધર્મ [૩૦૧ કુંભાર ઘડે બનાવે, પણ ચક–પૈડું ફેરવ્યા વગર નહીં. ચક કેરે મૂકી કુંભાર ઘડો બનાવી શકે? તીર્થકરે અને જે હોય પણ ધર્મ ન હોય તે તીર્થકરો બચાવી ન શકે. જે સત્તામાં હોય તે સત્તાની વાત પ્રગટ કરી શકે. અનંત શકિતનો અર્થ એ નથી કે ઊથલપાથલ કરવી. જબરે માણસ મલ્લા જે પણ થેરીયે હાથ ઘસવા ન જાય. અનંતી શક્તિવાળા પણ અધમ ઉદ્ધાર કરવા ન જાય. મૂળ વાત પર આવે. તીર્થંકર મહારાજા જગતને ઉદ્ધાર કરે. ગુરુમહારાજ શ્રોતાને ઉદ્ધાર કરે તે નિરપેક્ષ એકાકીપણે નહીં, પણ ધર્મદ્વારા ઉદ્ધાર કરે છે. દુર્ગતિ તરફ દેડી રહેલા જંતુને જે ધારણ કરી રાખે–અહીંથી દુર્ગતિ તરફ દોડી રહ્યા છે, તેવાને સદ્ગતિમાં સ્થાપન કરે તે ધર્મ. દુર્ગતિના મહેમાન પ્રદેશી રાજાને ધમે કેવી રીતે સદ્ગતિમાં સ્થાપન કર્યો? આપણામાં પ્રદેશ રાજાની કથા પ્રસિદ્ધ છે. પ્રદેશ રાજા કેશીકુમારના પરિચયમાં આવ્યું ન હતું ત્યાં સુધી તેના હાથ ૨૪ કલાક લેહીથી ખરડાયેલા રહે. દેવ-ગુરુ-ધર્મ કેઈને પણ નહીં માનનારો તેવા એ આત્માને કેશકુમાર મહારાજને સમાગમ થયે એટલે તે ધર્મમાં દઢ થયે. કાળ કરીને સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ દેવતા થયે. એ જ પ્રદેશ રાજા નરકનો મહેમાન થવાનું હતું. તે દુર્ગતિને મહેમાન થવાને તૈયાર થયેલે તેને બચાવી વિમાનિક દેવતા ધર્મો બનાવ્યું. ધર્મ દ્વારા તે ધર્મમાં આવ્યું ત્યારે કઈ સ્થિતિમાં આવ્યો? તે વિચારે. પરિણતિ વિચારીએ ત્યારે વસ્તુ, વસ્તુગતે ઠરી ઠામ થાય. પ્રદેશીરાજા ધર્મમાં દેરાયે. એક વાર ધર્મમાં દેરાયા પછી ધર્મના કાર્યોમાં જ રસ પડે. નાટક-ચેટકમાં રસ ન હોય, તેથી નાટકાદિના રસીલા છે, હવે તે ધર્મમાં દેરાએલા પ્રદેશી રાજાને ખરાબ ગણે. મિથ્યાત્વીએ સમકિતીને સારા નહીં ગણે. વિષયાદિકમાં રચેલા છે, પ્રદેશી રાજાને ખરાબ ગણે.
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy