SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨] દેશના મહિમા દર્શન છતાં ધર્મને નાશ થાય માટે ધમ બારીક બુદ્ધિથી તપાસ જોઈએ–કર જોઈએ. ગુરુ પરાવર્તનીય હોઈ શકે બાપદાદાના કૂવામાં ડૂબી મરવું? તેમ માનનારાઓએ–કહેનારાઓએ પિતાના બાપદાદા અધર્મને રસ્તે ગયા હતા, તેમ માનવું પડશે. ગુરુ પરાવર્તન કરી શકે છે. આત્મારામજી મહારાજ ઢુંઢિયામાંથી દીક્ષા છેડી આવેલા છે. બાપદાદામાં પરાવર્તનને અવસર નથી. ગુરુમાં પરાવર્તનને અવસર છે. અન્યથા શું ઢુંઢિયાપણને વળગી રહે? પિતાના વડીલે આચારથી વિરુદ્ધ ગયા હોય તે તેને સરાવવા જોઈએને ? ગુરુ પરાવર્તનીય ચીજ છે. મૂળ વાત પર આવે. ધર્મની બુદ્ધિએ ધર્મની ક્રિયા છતાં વિવેકની–સૂમ બુદ્ધિની ખામી હોય તે ધમરને નાશ થશે. માટે બારીક બુદ્ધિએ ધર્મ જાણવાની જરૂર છે. આકસ્મિક પલટાને સૂચવનારા પરિણામે બંધ છે, માટે અનુષ્ઠાન તે ધર્મ છે. પત્ત વૈતાન સુખસ્થાને તે વાકય ધર્મનું લક્ષણ નથી, પણ ફળ છે. દુર્ગતિથી બચાવે-શુભસ્થાનમાં ધારણ કરે તે ધર્મનું ફળ જણાવ્યું. તેને ફળને બદલે લક્ષણ લઈએ તે સૂક્ષમમાંથી બાદરમાં આવે તે ત્યાં ધર્મ હતું? મહાનુભાવ ! ધર્મનું લક્ષણ જુદી વસ્તુ છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ અને સ્વરૂપ છે, લક્ષણ નથી. અનુષ્ઠાને ક્રિયા-ચેષ્ટા-પ્રવૃત્તિ શબ્દ નથી વાપરતા, પણ અનુષ્ઠાન શબ્દ વાપરે છે. અનુષ્ઠાનના ચાર ભેદ છેઃ પ્રીતિ-ભક્તિ–તદુહેતુ અને અસંગ. આ ચાર ભેદેનાં અનુઠાને લેવા માટે અનુષ્ઠાન શબ્દ વાપરે છે. હવે અનુષ્ઠાન કેવું જોઈએ? મૈત્ર્યાદિભાવ જોડે હેય તે જ, ધર્મને અનુષ્ઠાન કહેવાય. તે ઉપરથી અનુષ્ઠાન ગબડી જાય તે પણ ધર્મ નહીં ખસી જાય. રોજના ૧૨ સામાયિક કરનારા હોય, છતાં અંત્યસમયે પ્રવૃત્તિ રહેતી નથી. છેલ્લે વખતે ય અનુષ્ઠાન પ્રવૃત્તિમાં હેવું જોઈએ. મહિનાની તપસ્યા કરનારા છતાં છેલ્લી વખતે ય તે જ
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy