SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬* શું સમ શક્તિશાળી વ્યક્તિ આમ જ ધર્મલાભ ફ્રાગટમાં મેળવી શકે છે ?” વિક્રમાદિત્યના શબ્દો સાંભળી સિધ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ કહ્યું, “ જે વંદન કરે છે તેને જ ધર્મ લાભ આપવામાં આવે છે. તમે શરીરથી વ ંદન કર્યું નથી, પરંતુ મનથી તમે . વદન કરેલ છે.” . શ્રી સિધ્ધસેનદિવાકરસૂરીશ્વરજીની વાત સાંભળી રાજા વિક્રમાદિત્ય આશ્ચય પામ્યા, હાથીપરથી નીચે ઊતરી પ્રસન્ન થઈ ફરી કાયાર્થી વંદન કર્યું ને તેમને કાટી સુવર્ણ આપવા મંત્રીને આજ્ઞા કરી. આજ્ઞાનો અમલ તાત્કાલિક થયા. કેટી સુવર્ણ સૂરીજીના ચરણેામાં અર્પણ કરવામાં આવ્યું. આચાય - શ્રી નિર્લોભી હતા, તેથી તેમણે મહારાજાએ આપેલ દ્રશ્યના સ્વીકાર ન કર્યો. પણ મહારાજાએ તે તે દ્રવ્ય દાનમાં આપ્યુ । જ હતું, તેથી તેને પાછું ન લીધું. પણ તે દ્રવ્યના ઉપયોગ સૂરીજીના ઉપદેશથી જીણુ ધારમાં કરવામાં આવ્યા. એક વખતે આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી ભ્રમણ કરતા કરતા એકારનગરમાં પધાર્યા. ત્યાં શ્રાવક લેાકેાએ તેઓશ્રી દ્વારા જિનેશ્વરદેવે કહેલા ધમ ને સાંભળી કહ્યું, લ્હે મહારાજ ! શ્રાવકાની વસતી પ્રમાણે અહીં વિશાળ-ભવ્ય જિનમ'દિરની ઘણી જ જરૂર છે, પણ બ્રાહ્મણ વગેરે અહીં મહાદેવના મદિર કરતાં ઊંચું મંદિર બાંધવા દેતા નથી. આપ કાંઇ પ્રયત્ન કરો જેથી અમારી ઇચ્છા પૂર્ણ થાય,”
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy