SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ છપાખ્યાન ઓગણીશમું - રાગદ્વેષાદિ અઢાર દૂષણોથી રહિત એજ સાચા દેવ છે. એ જ પરમાત્મા છે, યથાર્થ તત્વના ઉપદેષ્ટા એટલે સત્યના: ઉપદેશક એ ગુરુ છે અને દયામય ધર્મ એ ધર્મ છે.. - જે સત્ય દ્વારા દુતર એવા સંસારસમુદ્રને પાર પમાય તે જ ઉત્તમ સત્ત્વ છે. જે પુરુષાર્થ દ્વારા આત્માનું કલ્યાણ થાય એ જ સાચું સત્વ અને પુરુષાર્થ છે, પોતપોતાના કર્મના અનુસાર જે જીવાત્માઓ જન્મ-મરણની ચક્કીમાં પીસાઈ રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે એવા જીને શત્રુ તુલ્ય સમજી એને નાશ કરવામાં જે પ્રયત્ન કે પુરુષાર્થ થાય છે તે ખરેખર મિશ્યા સત્ત્વ છે. એ અવળો પુરુષાર્થ છે. પુરુષાર્થ દ્વારા આત્મા હંમેશ માટે સુખી થાય છે જ્યારે અવળા પુરુષાર્થ દ્વારા પોતે પણ દુઃખી થાય છે અને બીજા ને પણ એના દ્વારા પીડા અને દુખ ઉપજે છે. સત્સવ અને મિથ્યાસવના ભેદને આ રીતે સૂરીશ્વરજીએ સુંદર રીતે સમજાવ્યું. સાચા શત્રુ અને મિત્ર કે હવે સૂરીશ્વરજી મહારાજ આ જગતના જીન ખરે દુશ્મન કેણ છે? અને ખરો મિત્ર કેણ છે? તેનું રહસ્ય સમજાવે છે. જગતના નાના મોટા સૂક્ષમ–બાદ તમામ પ્રાણીઓ આપણું. મિત્ર છે માટે જ મહાપુરુષે ફરમાવે છે કે “fમત્તો, ને સત્ર મૂહુ વે મ ન વેળ” જગતના સકળ જી એ આપણા મિત્ર છે. કોઈપણ જીવ એ આપણે દુશમન નથી. .
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy