SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ 66 ધર્મ સત્ય પ્રકાશ શિવમસ્તુ સયંગલત” આ પદ દ્વારા પણ સકળ જીવાના કલ્યાણની જ કામના કરવામાં આવી છે. મતલબ-જગતના સકળ પ્રાણીએ એ આપણા મિત્ર છે, અને ક્રષાદિ કષાયા અને વિષયા એ સાચા શત્રુઓ છે, પણ અજ્ઞાન માત્મા નાના માટા જીવોની હિંસા કરે છે, પ્રાણીઘાત કરે છે. બીજાને પીડે છે. એટલે મિત્રના નાશ કરે છે અને વિષય કષાય રૂપ આત્માના જે કટ્ટર શત્રુએ છે તેનું અહર્નિશ પેષણ કરે છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે कषायविषयान् शत्रून् परिपुध्यन्ति मित्रत्रत् । सुहृदोसुमतः शत्रु कृत्य निघ्नन्ति धिग्जडाः || આત્મા કષાય અને વિષય રૂપ આત્માના કટ્ટર શત્રુઓને મિત્રની જેમ પ્રતિદિન પણ કરે છે, અને જગતના પ્રાણીએ જે મિત્ર તુલ્ય છે તેને જ શત્રુ માનીને તેના જ નાશ કરે છે. દુ:ખી કરે છે એવા જડ આત્માાને ધિક્કાર છે. આ પ્રમાણે ગુરુમહારાજે, આ પ્રમાણે શ્રી આન'ચ'દ્રસૂરીશ્વરજી મહારાજે શ્ર્લાકના અત્યંત ગૂઢ અને અત્યંત રહસ્ય ભર્યાં ભાવ જ્યારે સમાખ્યા ત્યારે સૌનાં શમાંચ ખડા થઈ ગયા. મહારાજા આ યથા ભાવાને શ્રવણુ કરી અત્યંત ખૂશ થયા. હૃદયમાં વૈરાગ્ય રસ ઉત્તરાયા. તે વખતે રાજા હર્ષ થી ગદગદ કઠે બે હાથ જોડી વિનમ્ર વદને વિનતિ કરે છે કે, ગુરુદેવ ! અાજે મારા જન્મ સફળ થયા. મારુ' જીવન કૃતાથ થયું. ધન્ય ઘડી અને અન્ય દિવસ. સાચે જ આજે મારા આંગણે
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy