SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન રાજવીની ધર્મ પરીક્ષા ] » ૧૧૩ ભાઈઓ તમે લડો છો શું કામ” જુઓ ખરી વસ્તુ તે ધાણા-મીઠ અને અધરક [આદુ] આજ સાચો દેવ છે. કારણ એના વગર તે મુદલ ચાલી શકે એમ છેજ નહિ. એટલામાં કુસ્તીબાજ મલ્લનું ટોળું આવી ચઢ્યું. જેમાં એક અગ્રેસરે જણાવ્યું કે “ અમારી રીત પ્રમાણે દંડ, બેઠક, અને મગદળ,'' એજ સાચી વસ્તુ છે ” એટલામાં એક મુસ્લીમે આવી જણાવ્યું કે “ અલ્લાહનીય હઝરત ” કુદરત એજ સાચું છે. અહીં હાજર રહેલ એક મીયા સાહેબે જણાવ્યું કે-વાહ કરીમ તેરી કુદરત, આજ સાચું છે તપશ્ચાત જેનધર્મના એક અનુભવીએ જણાવ્યું કે “ભાઈઓ જીતેન્દ્રિય પ્રભુ અરિહંત” એ સર્વે માં સાચા દેવ છે. આ સમયે ઝરૂખામાં બેઠેલ મહારાજાધિરાજને પણ એમ થયું કે, મનુષ્ય ધર્મના નિતિમાર્ગોનું સત્ય દિગ્દર્શન થાય તેમજ સત્સંગથી સરલતાએ ધર્મ પ્રાપ્તિ થતી હોય એ જે ધર્મ સાચું કહેવાય! હવે તેની ખાત્રી કરવા નિત્ય નિયમથી પરવારી આજે મહારાજા રાજ દરબારમાં વહેલા આવ્યા (૨) શ્રી. હેમચંદ્રસૂરીનું જ્ઞાનબી : બીજી બાજુએ જેમને સરસ્વતિ અને શાસનદેવની સહાયતા મળી છે. એવા શ્રી, હેમચંદ્રસૂરી મહારાજને નિત્ય નિયમ પ્રમાણેની પ્રભાતની યોગસાધના સમયે જ્ઞાનના બળે” આ ઉપરોકત ઘટનાનું દિવ્ય દર્શન થયું એટલે તેઓ પણ દરબારે આવી ત્યાં ભૂમિ પરમાજિ કર્માચારીઓ, યેગ્ય સ્થાને બિરાજમાન થયા. જોતજોતમાં રાજસભાજને, મંત્રીશ્વરે, અમલદારો, રાજેય, મહાજનો, અને વિદ્વાન પંડિતે, પણ આવી સ્વસ્થાને બિરાજમાન થયા. મહારાજાએ મહાઅમાત્ય મુંજાલ મંત્રીને કહ્યું કે, “હે મંત્રી ! આજનું રાજકાર્ય જલદીથી પુરૂં કરી લે, કારણ કે મારે મહત્વતાભરી કાંઈક ધાર્મિક ચર્ચા કરવાની છે. મહારાજાએ રાજયકાર્યને લગતી કાર્યની પૂર્ણતા ર્યાબાદ પંડિતોને આજે પણ “ક ધર્મ સાચો તેને લગતે ફરીથી પ્રશ્ન પૂછશે.
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy