SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ [ મહાન ગુજરાત મહારાજા સિદ્ધરાજનો રાજ્ય મહેલ પણ આજ તળાવની સમીપમાંજ હતો. ધર્મ શ્રદ્ધાળુ રાજવી પણ નિત્ય પ્રભાતે વહેલા ઉઠી શિવ ભકિતમાં લીન થઈ આત્મકલ્યાણ સાધતા. નિત્ય નિયમથી પરવારી સુર્યોદય પુર્વે રાજવીનું મહેલના ઝરૂખા ઉપર આવવું થયું. આ સમયે રાજ વીની નજરે તળાવ ઉપર ચાલતે ઉપરોકત ઝગડે જોવામાં આવ્યો અને તેમાં શું બને છે તે જોવા પિતે શાંતિથી ઝરૂખામાં બેસી રહ્યા. નગર જનોમાંથી અનેક ધર્મ શ્રદ્ધાળુઓ સહસ્ત્રલિંગ તળાવમાં સ્નાન કરી મંદીરની પ્રતિમાના પુજનાથે એકત્રિત થતા, તેઓની નજરે પણ આ હઠવાદી સાધુ ના ઝઘડાનો બનાવ પડે. “શું બન્યું છે તેની પુરતી સમજ થાય તે પહેલા તે મનુષ્યની મેદની વધવા લાગી. તેમાંથી કંઈક સુજ્ઞોએ આ વિતંડાવાદીઓને પુછપરછ કરી, જેના જવાબમાં ફકીરે જણાવ્યું કે આ પવિત્ર સહસ્ત્રલીંગ તળાવમાં મનુષ્ય, મનુષ્યો સિવાય અનેક (છ) જાનવરો, પશુ, પક્ષીઓ, પણ પાણી પી સ્નાનાદિક કામ કરી આત્મશાંતિ પામે છે તેમાં હું માત્ર મુસ્લીમ હોવાથી મને આ હઠીલે સાધુ દંતધાવન તથા સ્નાન કરતાં દમદાટી આપે છે.” ત્યારે શું “જગતમાં એને સનાતન ધર્મ જ સાચો છે ? અને એ સિવાયનાં ધર્મો શું ખોટી છે ? આને જવાબ કોઈ પક્ષપાતી મનુષ્યના મુખમાંથી નીકળતાં પહેલાં વિતંડાવાદી બને તે પહેલાં જ અહીં આંબા પર રહેલ કોયલ દવવાણીથી કહ્યું કે, “હે ભાઈઓ આ ફકીર કહે છે કે-“જગતમાં સાચા ધર્મદેવ તરીકે હઝરત મહંમદ પેગંબર હઝરત થયા છે.” આજ વ્યકિત તારણહાર છે તેમજ આ સાધુ કહે છે કે, “અમારા ધર્મ પ્રમાણે તારણહાર એવા રામ-લક્ષ્મણ દશરથજ છે. - ઉપરોકત મુજબ કોયલ બેલી રહી હતી તેવામાં એક વણિક કે જેને ખભે હળદર-મીઠું વગેરેને કેથળો હવે તેણે વચમાં ટહુકે પુરાવતાં જણાવ્યું કે
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy