________________
સંયમી શ્રાવક-શ્રાવિકાનો અંશ નથી, સંયમી અજૈન સંન્યાસીનો અંશ પણ નથી. એટલે એ રસોઇ સંયમી માટે દોષિત નથી.
સંયમી ઘરોમાં બાળકોને રમાડીને, વાર્તા કરીને ખુશ કરે. એના દ્વારા ગોચરી મેળવે તો આમાં હિંસા નથી થતી. પણ સંયમીની પ્રવૃત્તિ અનુચિત છે, માટે આ રીતે ન વહોરાય. આવા દોષો સંયમીથી ઉત્પન્ન થાય છે, એને ઉત્પાદન દોષ કહ્યા છે.
ગૃહસ્થ સચિત્તવસ્તુ દૂર કરીને નીચે રહેલી અચિત્ત વસ્તુ વહોરાવે, તો એ પિહિત ! સંયમીને વહોરતી વખતે આધાકર્માદિની શંકા પડે, છતાં વહોરે . તો એ શકિત ! આ બધા દોષો બરાબર ગોચરી વહોરતી વખતે થતા હોય છે, આ દોષો એષણાદોષ કહેવાય છે. એમાં પિહિતાદિ ગૃહસ્થત છે, જ્યારે અંકિતાદિ સાધુકૃત છે...એમ બેય પ્રકાર આમાં શક્ય છે.
નિર્દોષ ગોચરી વહોરી લીધા બાદ એ વાપરતી વખતે પાંચ દોષનો ત્યાગ કરવાનો હોય છે.
(૧) સંયોજના: કોઇપણ વસ્તુ સ્વાદ ઉત્પન્ન કરવા માટે ભેગી કરવી એ સંયોજના ! દૂધમાં ખાંડ, ભાત-દાળ, રોટલી-શાક, રોટલી-ગોળ, રોટલીઘી, ખાખરા-દૂધ...વગેરે.
(૨) અધિકોદરી ઃ પુરૂષનો ખોરાક સામાન્યથી ૩૨ કોળીયા અને સ્ત્રીનો ૨૮ ! પોતાના સ્વાભાવિક ખોરાક કરતા ઓછું વાપરવું જોઇએ. એને બદલે વધારે, પેટ ભરીને, દાબી-દાબીને વાપરવું તે !
(૩) રાગ : વાપરતી વખતે રાગ કરવો, પ્રશંસા કરવી. (૪) દ્વેષ : વાપરતી વખતે દ્વેષ કરવો, મોઢું બગાડવું, નિંદા કરવી....
(૫) અકારણ : શાસ્ત્રોમાં છ કારણસર ગોચરી વાપરવાની છૂટ આપવામાં આવી છે. એમાંથી એકેય કારણ ન હોય તો પણ ગોચરી વાપરવી.
આ પાંચ દોષોનો ત્યાગ કરવો. પ્રશ્ન : એ છ કારણો ક્યા છે ?
ઉત્તર ઃ (૧) સખત ભૂખ લાગે.. (૨) ગ્લાનાદિની વૈયાવચ્ચ કરવા માટે સ્વયં શક્તિમાન બનવા ખાવું પડે. (૩) ન વાપરે, તો આંખે અંધારા આવી જવાથી ઇર્યાસમિતિનું પાલન ન થઇ શકે. એટલે એના પાલન માટે
અજબ જીવનની ગજબ કહાની
[ ૭૯ છે –