________________
(૩) અષ્ટકર્ણાઃ જ્યારે યુવાન | વૃદ્ધ સાધ્વીજી યુવાન ગીતાર્થ પાસે આલોચના કરે, ત્યારે યુવાન ગીતાર્થ પાસે પણ એક સાધુ હોવા જરૂરી છે. એ દૂર બેસે. સ્પષ્ટ રીતે ન સાંભળી શકે..પણ બરાબર દેખરેખ રાખે, આ વખતે ચાર જણના આઠ કાન થવાથી અષ્ટકર્તા
આમાં સાથે આવનાર સાધ્વીજી કે આ બાજુ સાથે રહેનાર સાધુ ગંભીર, પરિણત, દઢ મનોબળવાળા અને કંઇપણ અકાર્ય થતું લાગે તો અટકાવવાના સત્ત્વવાળા જોઇએ.
મૂળ વાત એટલી જ કે બ્રહ્મચર્યની સુરક્ષા થવી જ જોઇએ, એ રીતે જ આલોચના કરવાની. જો આલોચના કરવા જતાં બ્રહ્મચર્યને બાધા પહોંચે, તો નફા કરતા નુકસાન વધી જાય.
પ્રશ્ન ઃ આ આલોચના ક્યારે કરવાની ?
ઉત્તર : રોજ બંને ટાઇમના પ્રતિક્રમણમાં સામાન્યથી તો આલોચના કરીએ જ છીએ. એ ઉપરાંત વિશેષ દોષ લાગે, તો તરત જ આલોચના કરવી. પખિ-ચોમાસ-સંવત્સરીએ પણ ૧૫/૧૨૦/૩૬૦ દિવસના અપરાધોને યાદ કરી કરીને વ્યવસ્થિત આલોચના કરવી...
આ કામ છત્રીસગુણવાળા આચાર્ય પણ કરવાનું છે, તો સામાન્ય સંયમીઓએ તો અવશ્ય કરવાનું જ !
નબળા કાળમાં ચારિત્રને ટકાવવાનું-વધારવાનું કામ મુખ્યત્વે આ પ્રાયશ્ચિત્ત દ્વારા જ થઇ શકે છે, માટે આત્માર્થી સંયમીઓ એમાં ઉપેક્ષા કરતા નથી.
સાધુએ આયંબિલ દ્વારા મેળવવાની થતી સાતમાંડલી
(૧) સુત્ર (૨) અર્થ (૩) ભોજન
(૪) કાલગ્રહણ ) - આ સાતે વસ્તુ સામુદાયિક (૫) પ્રતિક્રમણ
વ્યવસ્થાને સાચવીને કરવી (૬) સ્વાધ્યાય ( તે માંડલી. (૭) સંથારો
અજબ જીવનની ગજબ કહાની -
૭૭ ]
–