SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ એ પછી સૌથી છેલ્લે નિર્યુક્તિગાથામાં આ પદાર્થ દર્શાવ્યો છે કે ‘વિષમ પરિસ્થિતિમાં સંયમી આધાકર્માદિ દોષોને પણ સેવે, તો પણ એને કોઇ જ પાપ ન બંધાય. ઉલ્ટું પાપકર્મોની નિર્જરા જ થાય.' શાસ્ત્રમાં જણાવેલી અપવાદમાર્ગની વિધિને પાળનાર, યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર, અધ્યવસાયોની પવિત્રતાવાળા સંયમી દ્વારા જે કોઇપણ જીવહિંસાદિ વિરાધના થાય, એ એને નિર્જરા જ આપે છે. જે દોષો નરકાદિમાં લઇ જનારા છે, એ જ દોષો સંયમી જો પવિત્રભાવવાળો હોય, તો કર્મનિર્જરા કરાવનારા બને. આસક્તિથી આધાકર્મી પૌષ્ટિક દ્રવ્ય કરાવીને વાપરે, તો પાપ ! પણ એ સંયમી માંદગી દૂર કરીને સારા-સાજા થઇને જોરદાર આરાધના કરવા માટે, નિર્દોષ (પૌષ્ટિક દ્રવ્ય) તપાસ ક૨વા છતાં પણ ન મળવાના કા૨ણે છેવટે દોષિત પૌષ્ટિક દ્રવ્ય કરાવે...તો અધ્યવસાય નિર્મળ હોવાથી એને નિર્જરા જ થાય. (૯) શ્રી દસવૈકાલિકસૂત્રમાં નિર્યુક્તિમાં ચાર પ્રકારની હિંસા બતાવેલી છે. દ્રવ્યથી હિંસા છે + ભાવથી નથી. ભાવથી હિંસા છે + દ્રવ્યથી નથી. દ્રવ્યથી હિંસા છે + ભાવથી છે. દ્રવ્યથી હિંસા નથી + ભાવથી નથી. આ ચાર ભાંગા છે. સંયમીને કોઇ ધક્કો મારીને કાચા પાણીમાં પાડી દે, તો સંયમીના શરીર દ્વારા પાણીના જીવોની હિંસા થાય છે, પરંતુ સંયમીને તો જીવોને મારવાનો કે પ્રમાદનો કોઇ જ ભાવ નથી. એ તો પશ્ચાત્તાપ કરે છે. (અર્ણિકાપુત્ર આચાર્ય...) આમાં પહેલો ભાંગો લાગે. ખાવાની વસ્તુ ખરેખર અચિત્ત હોય, છતાં કોઇકના ખોટા કથનના કારણે સંયમી એને ચિત્ત તરીકે જાણે, અને તો'ય આસક્તિ-નિષ્ઠુરતાથી પ્રેરાઇને વાપરે...તો એમાં ખરેખર કોઇ જીવ મરતો નથી, છતાં સંયમીનો ભાવ તો જીવહિંસાનો છે જ...એટલે અહીં બીજો ભાંગો લાગે. કસાઇ વગેરેને ત્રીજો ભાંગો છે. અજબ જીવનની ગજબ કહાની ૧૫
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy