________________
(૮) તદુભય ઃ સૂત્ર અને અર્થ બંને વિધિસર ગ્રહણ કરવા, બોલવા, સમજવા....
દર્શનાચાર : (૧) નિઃશંતિઃ પ્રભુના એક પણ વચનમાં બિલકુલ શંકા ન કરવી. (૨) નિષ્કાંક્ષિતઃ અન્ય કોઇપણ ધર્મ ગ્રહણ કરવાની ઇચ્છા ન કરવી.
(૩) નિર્વિચિકિત્સા શાસ્ત્રોમાં બતાવેલા તે તે ધર્મફળોમાં બિલકુલ શંકા ન કરવી..
(૪) અમૂઢદષ્ટિ ઃ અન્યધર્મની | અન્યધર્મીની જાહોજલાલી જોઇને મોહાઇ ન જવું, આકર્ષાઇ ન જવું.
(૫) ઉપબૃહણા (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) શાસન પ્રભાવના.. આનું સ્વરૂપ પૂર્વે સ્થવિરકલ્પ પ્રકરણમાં જોઇ ગયા છીએ.
ચારિત્રાચારઃ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ ભેદ છે. એ પણ પૂર્વે જોઇ ગયા.
તપાચારઃ એના બાર ભેદ છે. છ બાહ્ય અને છ અત્યંતર. છ બાહ્ય તપો ?
(૧) અનશન : ઉપવાસ, છઠ, અઠ્ઠમ વગેરે ઇત્વરકથિક અનશન છે....જ્યારે આખી જીંદગી માટે ચાર કે ત્રણ આહારનો ત્યાગ એ યાવત્રુથિક
(૨) ઉણોદરી : સ્વાભાવિક ખોરાક કરતા ઓછું વાપરવું એ, ભોજનઉણોદરી ! નકામી ઉપધિ ન રાખવી એ ઉપાધિ-ઉણોદરી ! કષાયોને નબળા પાડી દેવા એ કષાય-ઉણોદરી !
(૩) વૃત્તિ સંક્ષેપ : ગોચરીમાં ઓછા દ્રવ્યો વાપરવા..
(૪) રસત્યાગ ઃ વિગઇ વગેરેનો, રસપોષક-સ્વાદપોષક વસ્તુઓનો ત્યાગ કરવો તે...
(૫) કાયક્લેશઃ લોચ કરવો, ઠંડી-ગરમી સહેવા.
(૬) સંલીનતા : કાયાને સ્થિર રાખવી, હલન-ચલન ઓછું કરવું, સ્થિરાસનમાં વધુ સમય રહેવું.
અજબ જીવનની ગજબ કહાની
અજબ જીવનની ગજબ કહાની
૮૫
૮૫