________________
૭મું
૮મું
૯મું
૧૦મું
૭૬ |સમ્યકત્વમોહનીય છેલ્લા
૩ સંઘયણ-આ ૪ નો ઉદય વિચ્છેદ...
૭૨ | હાસ્ય ૬નો ઉદયવિચ્છેદ
૬૬ |વેદ-૩, સંજ્વલન ૩-આ ૬નો ઉદયવિચ્છેદ
૬૦ |સંજ્વલન લોભનો ઉદયવિચ્છેદ
વિશ્વસંચાલનનો મૂલાધાર
૯૫
બનાવવાની શરૂઆત ન કરે. તેથી ૬ઠ્ઠા ગુણસ્થાનકને અંતે આહારક ૨નો ઉદયવિચ્છેદ કહ્યો છે.
૧) ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ૭મા ગુણસ્થાનક સુધી જ હોય છે. ૮મા વગેરે ગુણસ્થાનકોમાં ઉપશમ સમ્યક્ત્વ કે ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. તેથી ૭મા ગુણસ્થાનકને અંતે સમ્યક્ત્વ મોહનીયનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ૨) ૮મા વગેરે ગુણસ્થાનકો ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં જ હોય છે. ઉપશમશ્રેણિ જ પહેલા ૩ સંઘયણવાળો જ માંડે છે. ક્ષપકશ્રેણિ ૧લા સંઘયણવાળો જ માંડે છે. તેથી ૭મા ગુણસ્થાનકને અંતે છેલ્લા ૩ સંધયણનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
હાસ્ય ૬ નો ઉદય ૮મા ગુણસ્થાનક સુધી જ હોય છે. તેથી ૮મા ગુણસ્થાનકને અંતે તેમનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
વેદ-૩, સંજવલન ૩ નો ઉદય ૯મા -ગુણસ્થાનક સુધી જ હોય છે. તેથી ૯મા ગુણસ્થાનકે તેમનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
૧૧મા ગુણસ્થાનકથી યથાખ્યાત ચારિત્ર હોય છે. સંજ્વલન ૪ના