SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ ] સુંદર બનાવ્યું છે. ત્રણ છત્રને ભાગ અતિસ્પષ્ટ અને પદ્ધતિસરને બનાવ્યું છે. છત્રની નીચે જ શિલ્પશાસ્ત્રના નિયમાનુસાર કમળના બે દંડ દેખાડ્યા છે. મૂર્તિને ફરતા બે બાજુ ચામર ઢાળતા ઈન્દ્રો અને તેની ઉપર પુષ્પના હાર લઈને ઊભા રહેલા બે દેવે છે. તેની ઉપર મેરુપર્વત ઉપર જન્મકલ્યાણક ઉજવવા એટલે ભગવાનને જળને અભિષેક કરવા માટે સૂંઢમાં કળશ પકડીને જઈ રહેલા બે હાથીએ બતાવ્યા છે. તેની ઉપર વચમાં ઈન્દ્રને ઊભડક પગે બેઠેલા, બાકીના બે દેવે જન્માભિષેકને ઉત્સવ ઉજવવા જઈ રહેલા બતાવ્યા છે. ચોવીશી કેવી રીતે ગોઠવી છે? તે હવે જોઈએ ફરતું જે પરિકર છે તે પરિકરમાં પાંચ મૂતિઓમાંથી ત્રિમૂર્તિ –ત્રણના જોડલે અને બે-ચારના જોડલે મૂકી છે. આમાં પહેલી ત્રણ મૂર્તિએ માથે કેન્દ્રમાં વચ્ચે જ છે. બીજી ત્રણ ત્રણ મૂતિઓના બે જેટલા ઉપરના ભાગે જમણ–ડાબી બાજુએ છે. ભગવાનની પલાંઠીની બંને બાજુએ એક મૂર્તિ વધારીને ચાર મૂર્તિના બે જેડલા છે, એટલે પાંચ જોડલાની ૧૭ મૂર્તિઓ થઈ. હવે ઉપરના જોડલાની બંને બાજુએ એક એક મૂર્તિ, (૧+=૧૯) પછી મૂલનાયકના બંને બાવડાની પેરેલલ લાઈનમાં બંને બાજુએ જિનમુદ્રાએ એટલે કે કાઉસ્સગ ધ્યાને ફણાવાળા ભગવાન શ્રી પાર્શ્વનાથ અને સાતમા ભગવાન શ્રી સુપાર્શ્વનાથ બતાવ્યા લાગે છે એટલે ૧+૨=૨૧ અને
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy