SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] [ અશક-આસોપાલવ ચિત્રમાં કે જૈનસંઘનાં મંદિરમાં સમવસરણનાં નવાં ચિત્રો, પટેમાં સહુ ચૈત્યવૃક્ષ સહિતનાં અશોક કરાવવા માંડ્યાં. આમ એક અતિ અગત્યની ભૂલાયેલી બાબતને પુનર્જીવન મળતાં હવે સહુ કેઈ શાક્ત રીતે ચૈત્યવૃક્ષ સહિતનું અશોકવૃક્ષ કરાવતા થઈ ગયા. મારા માટે આ એક સંતેષની બાબત બની ગઈ ઉપરના વિવેચનમાં વૃક્ષની નીચે” એવું લખીને તેની સાથે જ સકારણ સમીપે” લખ્યું છે, સમીપે શબ્દને ઉપયોગ એટલા માટે કરે પડ્યો છે કે ૨૪ તીર્થકરેનાં કેટલાક ચૈત્ય (જ્ઞાન) વૃક્ષે એવાં નાનાં છે કે નીચે ભગવાન 'ઊભા જ રહી ન શકે, એ સ્થિતિમાં “નીચે ઊભા હતા” એવું શી રીતે લખાય? એટલે મેં મારી કલ્પનાથી ઉક્ત શબ્દવિવેક કર્યો છે. હા, આમાં એક વધુ એવી કલ્પનાને ૧. વડોદરા ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટ તરફથી વડોદરામાં રહીને આજથી ૩૫ વરસ પહેલાં લેખિકા મિ. જેન્શન પૂ. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી મહારાજ રચિત “ત્રિષછી શલાકા પુરુ ચરિત્ર' ગ્રન્થનું ભાષાંતર કરતા હતા ત્યારે એમાં આવતા કરોળિયાના એક પ્રસંગમાં શ્રી હેમચંદ્રાચાર્યજીએ ત્યાં લખ્યું છે કે કળિયે મુખ દ્વારા લાળ કાઢી જાળ રચતા હતે. મિ. જોન્સને વિજ્ઞાનના પ્રયોગ દ્વારા એવું જાણેલું હતું કે કળિયે મુખમાંથી નહિ પણ નાભિમાંથી લાળ કાઢે છે, તે શું સમજવું ? કોણ સાચું ? એ ભારે મૂઝવણભરી વાત બની એટલે એમની બદિએ મેં ઉપર લખે એવો જ તક શોધી લીધો. મહાન ગ્રન્થકર્તાને આંચ આવે એ ય કેમ પોસાય એટલે લખ્યું છે કે તે સમયના કરોળિયા સંભવ છે કે કદાચ મુખમાંથી લાળ કાઢતા હશે. મારે આ ખુલાસે આ ખુલાસાને અનુસરે છે, આમ કરીને મહાપુરુષનું ગૌરવ જાળવવા પ્રયત્ન કર્યો.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy