________________
જૈન સાહિય / ૯
ઉપદેશથી મેાટા મોટા રાજપુરુષો પણ પ્રભાવિત થયા હતા. એ સમયના મુસલમાન રાજ્યકર્તાએ પણ લાવણ્યસમયનુ ઘણું માન જાળવતા હતા. મેવાડના મહારાણા રત્નસિંહના મંત્રી કર્માશાહે શત્રુ ંજય તી ને! સાતમા [દ્ધાર કરાવ્યા તે આ લાવણ્યસમયના ઉપદેશથી કરાવ્યેા હતા એવા નિર્દે શ શત્રુ ંજય ઉપરના ઈ. સ. ૧૫૨૨ના શિલાલેખમાં આજે પણ જોઈ શકાય છે. લાવણ્યસમય કત્યારે કાળધ પામ્યા તે નિશ્ચિતપણે જાણી શકાતુ નથી, પરંતુ ઈ.સ. ૧૫૩૩માં એમણે અમદાવાદમાં ‘ યોાભદ્રસૂરિ રાસ'ની રચના કરી છે ત્યાં સુધી એટલે કે અડસઠ વર્ષની ઉં′′મર સુધી તેએ વિદ્યમાન હતા એમ કહી શકાય.
'
કવિ લાવણ્યસમયે રચેલી કૃતિઓ નીચે પ્રમાણે મળે છે : (૧) સિદ્ધાન્ત ચોપાઈ (૨) ગૌતમપૃચ્છા ચોપાઈ (૩) નેમિરંગરત્નાકર છંદ (૪) સ્થૂલિભદ્ર એકવીસેા (૫) નવપલ્લવપાર્શ્વનાથ સ્તવન (૬) આલેાયણુ વિનતી (૭) નેમિનાથ હમચડી (૮) સેરીસાપાર્શ્વનાથ સ્તવન (૯) રાવણુમ દાદરી સંવાદ (૧૦) વૈરાગ્ય વિનતી (૧૧) સુરપ્રિય કેવલી રાસ (૧૨) વિમલપ્રભંધ (૧૩) દેવરાજ વચ્છસજ ચેપાઈ (૧૪) કરસંવાદ (૧૫) અતિરક પાર્શ્વનાથ છંદ (૧૬) ચતુવિ શતિ જિનસ્તવન (૧૭) સૂ દીપવાદ છંદ (૧૮) સુમતિસાધુ વિવાહલા, (૧૯) અલિભદ્ર-યશાભદ્ર રાસ (૨૦) ગૌતમ રાસ (૨૧) ગોતમ છંદ (૨૨) ૫ંચતી સ્તવન (૨૩) સીત્ર છરાઉલ્લા પાર્શ્વનાથ વિનતી (૨૪) રાજિ મતી ગીત (૨૫) દઢપ્રહારીની સજ્ઝાય (૨૬) પંચવિષય સ્વાધ્યાય (૨૭) આઠમની સજ્ઝાય (૨૮) સાત વારની સજ્ઝાય (૨૯) પુણ્ડલની સજ્ઝાય (૩૦) આત્મબાધ સઝાય (૩૧) ચૌદ સ્વપ્નની સજ્ઝાય (૩૨) દાનની સજ્ઝાય (૩૩) શ્રાવક વિધિ સજઝાય (૩૪) ઓગણત્રીસ ભાવના (૩૫) મનમાંકડ સઝાય(૩૬) હિતશિક્ષા સજઝાય (૩૭) પાર્શ્વનાથ જિનસ્તવન પ્રભાતી (૩૮) આત્મપ્રમેધ (૩૯) નેમરાજુલ