________________
૨૬૦ / પડિલેહા
બારમાસા (૪૦) વૈરાગ્યેાપદેશ (૪૧) ગભવેલી (૪૨) ગૌરી સાંવલી ગીતવિવાદ.
એમની આ કૃતિમાંથી ઘણીખરી કૃતિએ પ્રકાશિત થઈ ચૂકી છે, પરંતુ એમની કેટલીક લઘુરચનાઓ, ખાસ કરીને ઘણીખરી સજ્ઝાયા હજુ પ્રકાશિત થઈ નથી. એમની કૃતિઓમાં સૌથી સમ અને યશદાયી કૃતિ તે વિમલપ્રબ`ધ ' છે,
"[
'
.
વિમલપ્રમધ – કવિ લાવણ્યસમયની કદની દૃષ્ટિએ મેટી અને ગુણવત્તાની દૃષ્ટિએ સૌથી ચડિયાતી કૃતિ તે વિમલપ્રબંધ ' છે. ઈ. સ. ૧૫૧૨માં કવિએ એની રચના કરી છે. ચૂલિકા સહિત નવ ખ’ડની ૧૩૫૬ જેટલી કડીમાં લખાયેલી આ કૃતિને કવિએ એમાં ‘પ્રબંધ' ઉપરાંત કેટલેક સ્થળે ‘રાસ' તરીકે અથવા રાસપ્રભુ ધ’ તરીકે ઓળખાવી છે, પરંતુ સ્વરૂપે તે પ્રબંધના પ્રકારની જ છે. અલબત્ત, એ જેમ પ્રબંધ છે, તેમ ચિરતાત્મક પદ્યકૃતિ પશુ છે, કારણ કે સાલંકી યુગમાં રાજા ભીમ પહેલાના સમયમાં થઈ ગયેલા સુપ્રસિદ્ધ જૈન મંત્રી વિમલનું ચરિત્ર એમાં આલેખાયું છે. વિમલ મંત્રીએ આબુ પર્વત પર દેલવાડામાં બંધાવેલ ‘વિમલવસહી’ નામનું જૈન મંદિર એની કલાકારીગીરીને કારણે આજે તા જગતભરમાં સુપ્રસિદ્ધ છે. કવિ લાવણ્યસમયના સમયમાં પણ એની કાતિ ચારે બાજુ પ્રસરેલી હતી જ અને વિમલમ ંત્રીનું જીવન આદરણીય અને અનુકરણીય હતું. એથી કવિએ એ દ્વારા ધર્મના મહિમા ગાવા અને ધર્મોપદેશ આપવાના હેતુથી આ કૃતિની રચના કરેલી છે. વિમલમંત્રીના સમય પછી લગભગ પાંચસા વષે કવિ લાવણ્યસમયે આ કૃતિની રચના કરી છે, જે સમયે અલબત્ત કવિને વિમલના જીવનની હકીકતા મેળવવા માટે ઉપલબ્ધ લેખિત સાધના ઉપરાંત દંતકથા ઉપર વિશેષ આધાર રાખવા પડચો હશે. વળી, એકદરે જોતાં પ્રબંધના પ્રકારની આ કૃતિ હાવા છતાં એમાં ઐતિહાસિક ધટનાઓના આલેખનના