SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ રર | પડિલેહ ક" હંસરાજ, વા, દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ, સમરે, સુરચંદ, શીતલ વચન જિમ સારદચંદ કેચર વ્યવહારી રાસમાં નિર્દેશ થયો છે તે પ્રમાણે દેપાલ દિલ્હીના પ્રસિદ્ધ દેસલહર શાહ સમરો અને સારંગને આશ્રિત હતા. પરંતુ તે ગુજરાતમાં પણ પુષ્કળ ફર્યો હતો અને એણે ઘણુંખરું ગુજરાતમાં રહીને પિતાની કૃતિઓની રચના કરેલી જણાય છે. એણે (1) જાવડ ભાવડ રાસ (૨) રોહિણેય પ્રબંધ અથવા રોહિણુઓ ચેર રાસ (3) ચંદનબાલા ચરિત્ર ચેપાઈ (૪) આદ્રકુમાર ધવલ (૫) સ્નાત્રપૂજા (૬) જંબુસ્વામી પંચભવવર્ણન એપાઈ (૭) અભયકુમાર શ્રેણિક રાસ (૮) સમ્યકત્વ બારવ્રત કુલર ચોપાઈ (૮) પુણ્ય-પાપ ફલ ચોપાઈ (૧૦) વજસ્વામી ચંપાઈ (૧૧) સ્થૂલિભદ્રની કકાવાળી (૧૨) થાવરચાકુમાર ભાસ (૧૩) હરિયાળી ઇત્યાદિ કૃતિઓની રચના કરેલી છે. કવિ દેપાળ ભેજક હેવાને લીધે સંગીતના તત્વની એને સારી સૂઝ હોય એમ જણાય છે. એની કૃતિઓની ભાષામાં પ્રાસાનુપ્રાસ, પ્રાસાદિક્તા અને લયબદ્ધતાનું તત્વ તરત જ નજરે ચડે છે. ઉ.ત. “જિંબુસ્વામી પંચભવવર્ણન ચોપાઈમાં એ લખે છેઃ ગોયમ ગણહર પય નમી આરાહિલ્સ અરિહંત હૃદયકમલ અહનિસ વસઈ ભવભંજણ ભગવંત. ભવભંજણ ભગવતનું આણ અખંડ વસિ, સીલ સિરામણિ ગુણ નિલઉ, જંબુ કુમર વણેસ, કવિ દેપાળ સ્વભાવે ઘણે નમ્ર અને નિરભિમાની હતો. પિતાની કૃતિઓમાં એણે પિતાની લઘુતા દર્શાવી છે. “સમ્યકત્વ બારવ્રત કુલક પાઈમાં આરંભમાં એ કહે છેઃ વીર જિસેસર પ્રણમું પાય, અહનિસિ આસ વહેં જિનરાય, મૂરખ કવિ એ જાણુઈ નહીં, પણ અણુબોલિઉન સકઈ રહી.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy