SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતમાં વાદે | ૧૭ વિનયવાદી કહેવાય છે. આ વાદ પ્રમાણે જે માણસ કાયાથી કંઈ પાપ ન કરે, કેઈને પીડા થાય તેવી વાણું ન બેલે અને મનમાં કંઈ પાપવૃત્તિ ન રાખે એવો સદાચારી પુરુષ “સંપન્નકુશલ” કહેવાય, એટલે કે એવો માણસ કરવાનું બધું કરી ચૂક્યો છે અને હવે એને કશું કરવાનું બાકી રહેતું નથી. આ વાદમાં માનવાવાળા આચાર ઉપર જ બધે ભાર મૂકી, જ્ઞાન તરફ દુર્લક્ષ કરતા. ભગવાન મહાવીરે અને ભગવાન બુદ્ધ આ વાદને વિરોધ કર્યો હતે ભગવાન બુદ્ધે કહ્યું હતું કે જે માત્ર મન, વચન અને કાયાથી કંઈ પાપ ન આચરે તે તે સપનકુશલ કહેવાય, તે પછી તરતનું જન્મેલું બાળક સંપન્નકુશલ કહેવાય કારણ કે એણે મન, વચન, કાયાથી હજુ કંઈ પાપ કર્યું નથી, અયવાદ : પ્રાચીનકાળમાં એક એવો વર્ગ હતું કે જે પાપ, પુણ્ય, જીવ, આત્મા, જગત વગેરે વિશે અનુભવથી, તર્કથી કે દલીલથી કશે નિર્ણય કરવાને શક્તિમાન ન હોય ત્યારે, ખાસ કરીને બેટા પડવાના ભયે અથવા બીજા વાદીઓથી પરાજિત થવાના ભયે, કશો જ નિશ્ચિત ઉત્તર આપતા નહિ. તેઓ ગોળગોળ જવાબ આપતા અથવા એમ કહેતા કે “હું આમ પણ માનને નથી' અને “હું એમ પણ માનતા નથી.” અને “તમારી વાત સાચી છે એમ હું કહેતે નથી” અને “તમારી વાત ખોટી છે એમ પણ નથી કહેતે.” તેઓ પિતાને સ્વતંત્ર ભિન્ન અભિપ્રાય આપવાને પણ ઇન્કાર કરતા, પરંતુ પિતાને જુદે સ્વતંત્ર ભિન્નવાદ છે અને તે “અરેયવાદ” છે એમ તેઓ ભારપૂર્વક જણાવતા. જેમ કેઈ પણ સમયે બને છે તેમ પ્રાચીન સમયમાં પણ ભારતમાં કેમાં વહેમ કે અંધશ્રદ્ધા ભરેલી કેટલીક માન્યતાઓ પ્રવર્તતી હતી. કેટલીક માન્યતાઓનાં મૂળ શાસ્ત્રોમાં કદાચ હોય, પરંતુ લેકજીવનમાં તે માન્યતાઓ વિકૃત કે અશુદ્ધ સ્વરૂપે દઢ થઈ હોય અને તેવી માન્યતાઓ ધરાવનારને એક વર્ગ જ્યારે ઊભો થાય અને એના પુરસ્કર્તાઓ નીકળી પડે ત્યારે તેવા વાદને લોકવાદ અથવા લેકચિંતા
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy