________________
૨૦૬ / પડિલેહ સ્નાન વગેરે કરાવવામાં આવે છે તેનું મનેહર ચિત્ર કવિએ આલેખ્યું
સખર સુગંધ પાણી કરી, સહુ વેશ્યા કરાય સ્નાન રે; વાર વસ્ત્ર પહિરાવીયા, પીલા ખવરાવ્યા પાન રે. સીસ વણાયઉ સેહરઉ, કાનિ દેય કુંડેલ લેલરે; હીયાઈ હાર પહિરાઉ, દીપતી દીસઈ આંગુલી ગેલ રે. બંધ્યા વિહું બાંહે બહરખા, મોતી તણી કંઠે માલ રે; હાથે હથસાંકલી, ભલઉ તિલક કયઉ વલિ ભાલ રે. ચેવા ચપેલ લગાવીયા, ફૂટડા પહિરાયા ફૂલ રે; આરિમ કારિમ કીયા, કાઇક કીધઉ અનુકૂલ રે.
પિતાને ભાઈ વેશ્યાઓની સાથે આવતાં આવતાં કયાંક ગુમ થઈ ગયાના સમાચાર મળતાં પ્રસન્નચંદ્ર રાજા જે શેક અનુભવે છે તેનું આલેખન પણ અસરકારક થયું છેઃ
વાત સુણે રાજા વિલખાણ, ભૂય કરઈ દુઃખ ભારી; મુઝ બાંધવ કોઈ મિલાયાં, બાંધવ માહરઉ બિહુથી ચૂકઉ, વાત કીધી અવિચારી. મુઝ૦ મનવંછિત માંગઈ તે આપું, સઘલઈ વાત સુણાવઈ. મુઝ૦ તાત થકી તેહનઈ મઈ ટાલ્યઉ, ઇહાં પણ તેહ ન આયઉ.મુઝo હા ! બાંધવ કિમ કરતે હાસ્યઈ, મુઝન મિલ્યઉમા જાઉં. ભાઈ મિલઈ ઈવડઈ ભાગ કિહાંથી, વલકલચીરી વીર. આંખે દડ દડ આંસૂ નાખઈ, દુખ કરઈ દિલગીર. મુઝ૦ નાટક ગીત વિનોદ નિષેધ્યા, જીવણ થયઉ વિષ જેમ, નિસ સૂતાં પણ નીદ્ર ન આવઈ, કહ હિવષે કિજઈ કેમ. મુઝ
પ્રસન્નચંદ્ર અને કલચીરી પોતાના પિતાને મળવા માટે વનમાં જાય છે તે વખતે વનમાં એક પછી એક વસ્તુઓ જોઈ પિતાના