________________
કવિવર સમયસુંદર ! ૨૭
બાળપણનાં સંસ્મરણે તાજાં થતાં વકલચીરી તે વિશે કેવી સ્વાભાવિક રીતે પિતાના ભાઈને બધી વાત કરે છે !
આશ્રમ દીઠું અભિરામ, ઊતર્યા અશ્વથી તા. સર દેખિ સાથી મેલિ, કરતઉ હું હંસ જુ કેલિ. એ દેખિ તરુ અતિ ચંગ, રમતઉ ઉપરિ ચડિ રંગ. ફૂટડા ફલ નઈ ફૂલ, એહના આણિ અમૂલિ. ભાઈ એ ભસિનું દેખિ, વલકલચીરી નઈ હું વેષિ. દેહેનઈ આણઉ દૂધ પીતા પિતા અહે સૂધ. મિરગલ એ રમણીક, નિત ચરઇ નિપટિ નિજીક. રમતઉ હું ઈણ શું રંગિ, બાલ તણ પરિ બહુ ભંગિ.
નવમી ઢાલમાં અને ત્યાર પછી દુહાની કડીઓમાં કથાનું સમાપન થઈ ગયા પછી દસમી ઢાલમાં કૃતિનું સમાપન કરતાં કવિ કથાનાયકને વંદન કરી એમના કેવળજ્ઞાનનું ફરી એક વાર સ્મરણ કરતાં લખે છેઃ
શ્રી વલકલ રે ચીરી સાધુ વાંદિયઈ રે, હાંરે ગુણ ગાવતાં અભિરામ, અતિ આણંદિઈ રે. તાપસને ઉપગ્રહણ તિહાં, પડિલેહતાં, હાંરે નિરમલ કેવલ ન્યાન, અતિ ભલું ઉપનું, શિવરમણ રે, સંગમનું સુખ સપનું રે.
આમ, કવિની આ કૃતિમાં સ્થળે સ્થળે આપણને રસિક, કાવ્યમય પંક્તિઓ લાધે છે. તેઓ સંગીતના સારા જાણકાર હતા. એટલે આવી નાની રાસરચનામાં પણ એમણે પ્રત્યેક ઢાલ જુદા જુદા રાગ કે દેશમાં પ્રયોજી છે. એમની પંક્તિઓમાં પ્રાસસંકલના પણ સ્વાભાવિક અને સુભગ હોય છે. મારવાડીની છાંટવાળી એમની જૂની ગુજરાતી ભાષામાં એક પ્રકારનું પ્રસાદગુણયુકત માર્દવ અને માધુર્ય અનુભવાય છે. અલબત્ત, આ રાસમાં હજુ કેટલાંક રસસ્થાને ખીલવી