________________
૧૩૮ | પડિલેહા --
ધારિણી સધરમચારિણી, ચિત ઠારિણી હુઈ તાસ રે; કારણી સુખ દુઃખ વારણ, મને હારિણિ સુવિલાસ રે. રૂપઈ તે રંભા હરાવતી, ભાવતી ચિતિ જિન વયણું રે, સુલલિત સીલ સેહામણી, સહજ સલુણડાં નયણું રે. મિલિઆ રહઈ નખમાંસ જિઉં, તિ દંપતી સસને રે; નવનવા રંગ ભરઈ રમઈ, એક જ જીવ દઈ દેહ રે.
સુધર્માસ્વામીની મહત્તા એક જ કડીમાં ચાર જુદાં જુદાં રૂપકે. યોજીને કવિએ કેવી સરસ રીતે બતાવી છેઃ
ક્રોધ જલન શમ જલધરૂ, માન મહાતરુ હસ્તી રે; દંભ ઉરગવિષ જાંગુલી, લોભ સમુદ્ર અગસ્તી રે.
બુદ્ધિ અને સિદ્ધિની કથામાં બુદ્ધિની બે અવસ્થા વચ્ચેના તફા-- વતનું કેટલું લાક્ષણિક અને વાસ્તવિક ચિત્ર કવિએ આલેખ્યું છેઃ
સુહgઈ પણિ જેણઈ નવિ દીઠા, વેસ વિભૂષણ સાર. હુઈ પહરતી તે નવનવલા, રાણી જેમ ઉદાર. પહલાં જેહની કદિઈ ન પૂગી, આછણની પણિ આસ; હુઈ હજાર ધેનું ઘરિ તેહનઈ, દેવઈ લેક તમાસા. તૃણ કુટિર છરણજે રહતી, જનમ થકી પણિ દુહ લઈ; તે પુહુઢતી હુઈ સુખશય્યા, સાત ભૂમિઈ મહલઈ. જે જીવતી હતી પરઘરમાં, છાણું પૂજે બહુ કરતી; હુઈ સેવતી તેહનઈ દાસી, કર સિત ચામર ધરતી. હુઈ પ્રાસ ચિંતાઈ જે દુખિણી, માંડા સત્રકાર; તેણઈ પોષ્યા યાચક સઘલા, વિરચી દીનહાર અશન ઉત્તર જેણઈ નવિ પામે, પૂગીને પણિ કટકે; દીસઈ તસ મુખિ મૃગમદ વાસિત, લાલ બલઈ લટકે. કવિની પાત્રાલેખનની શક્તિને વિશેષ પરિચય આપણને થાય