________________
યશવિજયજી | ૧૩૯ છે લલિતાંગકુમારના પાત્રાલેખનમાં. કવિની અલંકૃત ગૌરવયુક્ત વાણું. ઊંચી સપાટી પર રહેવા છતાં કેવી સરળતાથી વહી જાય છેઃ
ધમિલ મસ્તક ધિક ધાર, મૃગમદ પંકિલ મંછિ ઉદાર; જાણે મદ ઝરત હાથિ, લીલાઈ ધનપતિ સાથિ. વૃષભ અંધ ઉર વિકટ વિશાલ, ચરણ પાણિ પંકજ સુકુમાલ; ગ્રીવા કર ચરણે વિન્યસ્ત, કંચન ભૂષણ અતિહિ પ્રશસ્ત. નવ કપૂર સહિત તંબોલ, અરુણિત મુખ સૌરભ રંગરોલ; ભાલતિલક માનું મદન પતાક, અંગરાગ છલ લવણિમ પાક. ધૂપાયિત અંશુક આમોદ, મેદુર મારગ વિહિત વિદ; પ્રથમ અનંગ અદશ્ય નીમડો, શ્રીસુત મન બીજે વિધિ ઘડિ. શંકર ભાલ હુતાશનિ કાય, સ્માર હેમઈ તિણિ એ ભવ થાઈ; સી સી નવિ ઉપમા સંભવઈ, તે દેવી લલિતા ચિંતવઈ.
કવિ પાસે અલંકારની સમૃદ્ધિ ઘણી સારી છે. ઉપમા, રૂપક, ઉપ્રેક્ષા, દષ્ટાન્તાદિ અલંકારે તેઓ પૂરી સાહજિકતાથી પ્રયોજે છે. અને એ વડે પાત્રો, પ્રસંગે વગેરેના આલેખનને રસિક બનાવે છે. ઋષભદત્ત અને જિનદાસ બંને ભાઈઓ વચ્ચે કેટલું બધું અંતર. હતું તે બતાવતાં કવિ લખે છે:
ન્યાય અન્યાય ચરિત્રઈ તેહ, પ્રથમ ચરમ યુગ માનું સદેહ; એક જનિતનઈ અંતર તે તું, અમૃત હલાહલનઈ હુઈ જતું.
ભવદેવની નવોઢાના શણગારનું કવિએ ઉàક્ષા અલંકાર વડે. કેવું મનહર વર્ણન કર્યું છે તે જુઓ :
કેશ પાશ સુત્ર પુરિત બાંધિ, ચરિત ધનયુત જેર; નાંઠે દેવી ઊગે રે મુખશશી, અંધકાર માનું ચર. તિલક બનાવ્યું રે કેસરનું ભલું, સેહઈ લાલ વિશાલ; અંકુર ઉગ્યો રે માનું મદન તણે, જે દગધ હરભાલ.