SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 91 જીવ, બંધન અને મોક્ષ ગુરુ કહે છે, જેઓ આખ (પ્રામાણિક અથવા યથાર્થજ્ઞાનથી યુક્ત) અને સાચા હિતોપદેશી હોય છે. એવા દેવ અને ગુની ઉપદેશ યુક્ત વાણી જ શાસ્ત્ર છે. અરહંત દેવ અથવા સાચા ગુરુદેવને જ “આપ્ત' કહે છે. “આપ્ત’નો અર્થ દર્શાવતા જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ જે રાગ-દ્વેષાદિ દોષોથી રહિત વીતરાગ હોય, સર્વજ્ઞ હોય, આગમના ઈશ અર્થાત હિતોપદેશી હોય, તે જ નિયમથી આપ્ત અર્થાત્ સાચા દેવ હોઈ શકે છે. અન્યથા - આ ત્રણેય ગુણોમાંથી કોઈ એકના વિના આપ્તપણું સંભવ નથી.2 ઉપરોકત સ્વરૂપવાળા દેવ, શાસ્ત્ર અને ગુમ્માં દઢ શ્રદ્ધા અને વિશ્વાસ હોવાને જ સમ્યદર્શન કહે છે . સમ્યદર્શનના પ્રસંગમાં નાથુરામ ડોંગરીય જેન કહે છે: જે આત્મશુદ્ધિ કરવા તરફ પોતાની રુચિ રાખે છે અને તત્ત્વના સ્વરૂપને સારી-રીતે સમજે છે, એ વાત પર ક્યારેય આશંકા કરી શકતો નથી કે આત્મા આ બધા સાંસારિક દુઃખોથી અવશ્ય છૂટી શકે છે, તથા એમનાથી છૂટવાનો ઉપાય સમ્યક્દર્શન જ્ઞાન અને ચારિત્ર છે, તે એ પણ જાણે છે કે તત્ત્વનું સાચું સ્વરૂપ નિઃસ્વાર્થ અને નિષ્પક્ષ વીતરાગ અને સર્વજ્ઞ દેવ જ ઠીક-ઠીક બતાવી શકે છે, ન કે રાગ દ્વેષી અસર્વજ્ઞ. એવી શ્રદ્ધાને નિશક્તિ અંગ કહેવાય છે.23 આવી નિઃસહ શ્રદ્ધા અને દઢ વિશ્વાસને જ સમ્યગ્દર્શન કહે છે. આ જ સાચી શ્રદ્ધા અને દઢ વિશ્વાસ સાધકને સદા લક્ષ્યની તરફ વધવાની પ્રેરણા આપતો રહે છે, જેના સહારાથી તે મોક્ષ માર્ગમાં આવનારી કઠિનાઈઓનો સાહસની સાથે સામનો કરીને અંતે તેમને પાર કરી લે છે. જેમની પાસે શ્રદ્ધાવિશ્વાસરૂપી દુર્લભ રત્ન નથી અથવા જેમનો વિશ્વાસ નબળો છે, તેઓ ઇચ્છા હોવા છતાં પણ પરમાર્થના માર્ગમાં ઉન્નતિ કરી શકતા નથી. તેમની અવસ્થા તે દુર્બળ પાંખોવાળા પક્ષીઓ સમાન છે જે આકાશમાં ઊંચી ઉડાન ભરવા તો ચાહે છે, પરંતુ સાચી શ્રદ્ધા અને વિશ્વાસરૂપી પાંખો ન હોવાને અથવા કમજોર હોવાને
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy