________________
જીવ, બંધન અને મોક્ષ રીતે પર્યાપ્ત નથી, બલકે આ ત્રણેયનો તાલમેલ સાથે ગ્રહણ કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. હવે આપણે આ ત્રણેય પર વિચાર કરીશું.
1. સખ્યદર્શન
જૈન ધર્મમાં “દર્શન’ શબ્દ મુખ્યતઃ શ્રદ્ધા અને વિશ્વાસનો સૂચક માનવામાં આવે છે. જ્યારે જીવમાં પોતાના વિવેકથી અથવા કોઈ સદ્ગથ અથવા સદ્ગક્ના ઉપદેશથી આત્મજ્ઞાન કે તત્ત્વ-જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થાય છે, ત્યારે તે એની પ્રાપ્તિ માટે દેવ, શાસ્ત્ર અને ગુમાં સાચી શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસ કરવા લાગે છે. તેના આ શ્રદ્ધા-વિશ્વાસને જ સમ્યદર્શન કહે છે.
આ શ્રદ્ધા-વિશ્વાસ અંધવિશ્વાસથી બિલકુલ ભિન્ન છે; કારણ કે આ વિશ્વાસ સમ્યક (સાચો અથવા યથાર્થ) છે, જે પ્રારંભિક સૂઝ-સમજ અને આવશ્યક જાંચ-પડતાલ પછી પોતાના નિજી અનુભવના આધારે કરવામાં આવે છે.
અનેક જૈનાચાર્યોએ પોત-પોતાના વિશેષ અભિપ્રાય કે દ્રષ્ટિકોણથી એની અલગ-અલગ પરિભાષાઓ આપી છે, પરંતુ આ પરિભાષાઓની વચ્ચે ખરેખર કોઈ મૌલિક અંતર કે મતભેદ નથી. મુખ્યરૂપે સમ્યદર્શનની નીચે પ્રમાણે પરિભાષાઓ આપી છેઃ
1. સાચા દેવ-શાસ્ત્ર અને ગુરુપ્રતિ શ્રદ્ધા-વિશ્વાસ રાખવો સમ્યક્ટર્શન છે. 2. જીવ-અજીવ વગેરે તત્ત્વાર્થોમાં શ્રદ્ધા કરવી સમ્યક્ટર્શન છે. 3. સ્વપર-ભેદવિજ્ઞાન જ સમ્યદર્શન છે. 4. આત્માના સાચા સ્વરૂપમાં શ્રદ્ધા-વિશ્વાસ રાખવો જ સમ્યદર્શન છે. પહેલી પરિભાષા આપતાં રત્નકડું શ્રાવકાચારમાં કહેવામાં આવ્યું છેઃ સત્યાર્થ અથવા મોક્ષ ને કારણભૂત દેવ, શાસ્ત્ર અને ગુનો શ્રદ્ધાન (વિશ્વાસ) કરવાને સમ્યક્રદર્શન કહેવામાં આવે છે..? આ જ પરિભાષા જૈનધકૃિતમાં પણ આપવામાં આવી છે. 18 બીજી પરિભાષા આપતાં તત્ત્વાધિગમ સૂત્રમાં કહેવામાં આવ્યું છેઃ તત્વાર્થશ્રદ્ધાન સમ્યક્ટર્શન