________________
જૈન ધર્મ સાર સંદેશ
ઉપારકર્મણઃ પાતો નિર્જરા દ્વિવિધા ચ સા | આઘા વિપાકજા તત્ર દ્વિતીયા ચાવિપાકજા ||
અર્થ – સંચિત કર્મને દૂર કરવાને નિર્જરા કહે છે. તે નિર્જરા બે પ્રકારની છે – એક વિપાકજા નિર્જરા અને બીજી અવિપાકજા નિર્જરા.2
જૈન ધર્મમાં તપને નિર્જરાનો ઉપાય બતાવવામાં આવ્યો છે, જેમ કે તત્ત્વર્થધિગમ સૂત્રમાં કહ્યું છેઃ
તપસા નિર્જરા ચા અર્થ-તપથી નિર્જરા થાય છે અને સાથે જ સંવર પણ.
જૈન ધર્મ અનુસાર તપનો વાસ્તવિક અભિપ્રાય ઈચ્છાને રોકવાનો છે. એને સ્પષ્ટ કરતા ધવલા પુસ્તકમાં કહેવામાં આવ્યું છેઃ
ઈચ્છાનિરોધસ્તપ: 4 અર્થ-ઈચ્છાઓના નિરોધનું નામ તપ છે.
આ પ્રમાણે જૈન ધર્મ અનુસાર તપનો અર્થ શરીરને અનાવશ્યક કષ્ટ આપવાનો નથી, બલકે ઉચિત સંયમ, ધર્માચરણ અને ધ્યાનની અંતર્મુખી સાધના દ્વારા મનની ઇચ્છાઓ પર વિજય પ્રાપ્ત કરવાનો છે. તે બતાવતા કે તપનો વાસ્તવિક ઉદ્દેશ્ય ઇચ્છા-નિરોધ, અર્થાત્ ઇચ્છાઓને રોકવાનો અથવા તેમના પર વિજય પ્રાપ્ત કરવાનો છે અને એનો સર્વોત્તમ ઉપાય શુકલ ધ્યાન છે, જેન ધમમૃતમાં કહેવામાં આવ્યું છેઃ
જૈન ધર્મમાં શારીરિક તપસ્યાને ત્યાં સુધી સ્થાન અથવા મહત્વ આપવામાં આવ્યું છે, જ્યાં સુધી કે તે માનસિક તપસ્યા અર્થાત્ ઇચ્છા-નિરોધ માટે સહાયક છે. જો શારીરિક તપસ્યા કરવા છતાં પણ મનુષ્ય મનની ઇચ્છાઓનો વિરોધ કરી શકતો નથી, તો તે તપને જૈન ધર્મમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ તેને નિરર્થક કહેવામાં આવ્યું છે. એટલા માટે બાહ્ય તપોને યથાશક્તિ આવશ્યકતાનુસાર કરતાં કરતાં અંતરંગ તપોને વધારવા માટે જૈનાચાર્યોએ ઉપદેશ આપ્યો